ગુજરાત 281 અને 167, પંજાબ 229 અને 109 રનમાં ઓલઆઉટ
ગુજરાતે રણજી ટ્રોફી 2019-20ના રાઉન્ડ-6ની મેચમાં પંજાબને વલસાડના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ખાતે 110 રને હરાવ્યું હતું. ગુજરાતે પ્રથમ દાવમાં ભાર્ગવ મેરાઈના 130 રન થકી 281 રન કર્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 229 રનમાં ઓલઆઉટ થતા ગુજરાતને 52 રનની લીડ મળી હતી.
બીજા દાવમાં ગુજરાત 167 રનમાં ઓલઆઉટ થયું હતું. 220 રનનો પીછો કરતા પંજાબ 109 રનમાં તંબુ ભેગું થયું હતું. અરજણ નાગવાસવાળાએ બંને દાવમાં 5-5, મેચમાં કુલ 10 વિકેટ લીધી હતી. તેને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના 5 મેચમાં 20 પોઈન્ટ્સ છે. તે એલાઇટ ગ્રુપ-A અને Bમાં બીજા સ્થાને છે. આંધ્ર 21 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાત આગામી મેચ 27 જાન્યુઆરીએ વિદર્ભ સામે રમશે. અરજણ ઉપરાંત મેચમાં ચિંતન ગાંજાએ 5, સિદ્ધાર્થ દેસાઈએ 3 અને પિયુષ ચાવલાએ 2 વિકેટ લીધી હતી. તેમજ બીજા દાવમાં ક્ષિતિજ પટેલે 57 રનનું યોગદાન આપ્યું હતું.