ગુજરાતી થિયેટર એક્ટર અને ડિરેક્ટર અરવિંદ જોષી તેમના કામ માટે જાણીતા હતા
Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 11:21:01
ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા, નિર્માતા અને બોલિવૂડ અભિનેતા શરમન
જોષીના પિતા અરવિંદ જોષીનું આજે સવારે નિધન થયું છે. તેમણે મુંબઈની નાણાવટી
હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મુંબઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગુજરાતી થિયેટર એક્ટર અને ડિરેક્ટર અરવિંદ જોષી તેમના કામ
માટે જાણીતા હતા. તેમણે ‘શોલે’, ‘ઇત્તેફાક’, ‘અપમાન કી આગ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.