જો આ પ્રતિમાઓ માટીની હોત તો મૂર્તિ પાણીમાં ઓગળી જાત અને ખરેખર વિધિવત વિર્સજન થઇ શક્યું હોત
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 10:15:37
વડોદરા: શહેરીજનોએ દસ દિવસ
સુધી દશા માતાની પોતાની દશા સુધારવા ભક્તિ ભાવથી પૂજન-અર્ચન કર્યા બાદ સિંધરોટ
મહીસાગર ચેક ડેમ ખાતે માતાજીની પ્રતિમાઓનું ધાર્મિક રીતે વિસર્જન કરવામાં આવ્યું
હતું. જોકે પીઓપીની મૂર્તિઓ ઓગળી નહીં શકતાં બીજા દિવસે મહીસાગર નદીમાં જેમની તેમ
પડી રહી હતી. જો આ પ્રતિમાઓ માટીની હોત તો મૂર્તિ પાણીમાં ઓગળી જાત અને ખરેખર
વિધિવત વિર્સજન થઇ શક્યું હોત.