વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિમાનમાં યાત્રા કરે છે તે વિમાન હવે ભારતીય એરફોર્સના પાયલટ ઉડાવશે
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે
વિમાનમાં યાત્રા કરે છે તે વિમાન હવે ભારતીય એરફોર્સના પાયલટ ઉડાવશે. એક સીનિયર
અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું છે કે, એર ઈન્ડિયા
દ્વારા ઈન્ડિયન એરફોર્સના પાયલટને આ માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. ભારત પાસે
આવતા વર્ષે જુલાઈમાં બે કસ્ટમાઈઝ્ડ બી-777 પ્લેન આવશે. આ પ્લેનમાં નવી મિસાઈલ
લગાવવામાં આવેલી હશે જે ઈમરજન્સીના સમયમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકે.
અત્યારે જે પ્લેન છે તે બી-747 છે. તેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને
ઉપરાષ્ટ્રપતિ યાત્રા કરતા હોય છે.
આવતા વર્ષે
જુલાઈમાં અમેરિકન વિમાન નિર્માતા કંપની બોઈંગ બે નવા બી-777 વિમાન ભારત
પહોંચાડશે. તેને માત્ર એરફોર્સના પાયલટ જ ઉડાવી શકશે. તેને એર ઈન્ડિયા-1 કહેવામાં આવશે.
એરફોર્સના 4થી 6 પાયલટ્સને એર ઈન્ડિયા પહેલાં જ બી-777 ઉડાનની
ટ્રેનિંગ આપી ચૂક્યા છે. તે સિવાય અમુક અન્ય પાયલટ્સને પણ ટ્રેનિંગ આપવામાં આવશે.
તેમાં માત્ર રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જ ઉડાન
ભરી શકશે. આ બંને વિમાનોમાં અલગથી પ્રેસ કોન્ફરન્સ રૂમ, પેશેંટ
ટ્રાન્સપોર્ટ યૂનિટ અને મેડિકલ ઈમરજન્સી પણ સામેલ હશે. આ બંને વિમાન ભારત આવ્યા
પછી સરકારે એર ઈન્ડિયા પાસેથી વિમાન નહીં લેવુ પડે. આ વિમાનોને ખરીદવા માટે સરકારે
બજેટમાં અલગથી 4469.50 કરોડની જોગવાઈ કરી છે.
આ બંને વિમાનમાં બી-777 વિમાનમાં
સ્ટેસ-ઓફ-ધી-આર્ટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ લગાડવામાં આવેલી હશે. આ મિસાઈલ ડિફેન્સ
સિસ્ટમનું નામ લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેજર્સ (LAIRCM) છે. તે સિવાય
તેમાં સેલ્ફ પ્રોટેક્શન સૂટ્સ (SPS) પણ હશે. આ બંને ડિફેન્સ સિસ્ટમની
કિંમત અંદાજે રૂ. 1349 કરોડની આસપાસ છે. આ બંને સુરક્ષા
સિસ્ટમ અમેરિકન રાષ્ટ્રપતિના એરફોર્સ વનમાં પણ લાગેલી છે.