• Home
  • News
  • પુડુચેરીમાં આજે કોંગ્રેસ સરકારે સાબિત કરવી પડશે બહુમતી, રાજકીય ઉથલ પાથલ વચ્ચે LG કિરણ બેદીને શા માટે હટાવવામાં આવ્યા?
post

ચેન્નાઈના શ્રી રામચંદ્રન મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચુકેલા તમિલિસાઈએ પાંચ વર્ષની નોકરી બાદ રાજકારણમાં જોડાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 09:41:20

પુડુચેરીમાં આજે કોંગ્રેસ સરકારે બહુમતી સાબિત કરવાની છે. ઉપરાજ્યપાલ ડો.તમિલિસાઈ સુંદરરાજને સાંજે 5 વાગે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યએ રાજીનામા આપ્યા છે અને એક ધારાસભ્યને ગેરલાયક ઠરાવવામાં આવ્યા બાદ વી નારાયણસામીની સરકાર સંકટમાં છે. 33 ધારાસભ્યોવાળી વિધાનસભામાં અત્યારે 28 ધારાસભ્ય છે. તેમા સત્તા પક્ષ પાસે 12 અને વિપક્ષ વિપક્ષ પાસે 14 ધારાસભ્ય છે. જોકે, નારાયણસામી હજુ પણ બહુમતી હોવાનો દાવો કરી રહ્યા છે.

ચાલો જાણીએ છેવટે પુડુચેરીમાં થઈ શું રહ્યું છે? રાજકીય સંકટ વચ્ચે ઉપરાજ્યપાલ કિરણ બેદીને શા માટે હટાવવામાં આવ્યા? અને નવા ઉપરાજ્યપાલ તમિલિસાઈ કોણ છે?નારાયણસામીની સરકાર જો બહુમતી સાબિત કરી શકતી નથી તો આગામી સમયમાં શું થશે?

શા માટે સંકટમાં આવી નારાણયસામી સરકાર?
16
ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ ધારાસભ્ય એ જોન કુમારે રાજીનામુ આપી દીધુ હતું. નારાયણસામીના નજીકના ગણાતા કુમાર રાજીનામુ આપનાર કોંગ્રેસના ચોથા ધારાસભ્ય હતા. આ અગાઉ એ નમસ્સિવમ, મલ્લાદી કૃષ્ણા રાવ અને ઈ થેપયન્થન પણ રાજીનામુ આપી ચુક્યા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય એ ધનવેલીનું સભ્યપદ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને લીધે સમાપ્ત કરવામાં આવ્યું હતું.

શા માટે હટાવવામાં આવ્યા કિરણ બેદી?
કિરણ બેદી અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો હતો. સામી આ વખતે પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કરી ચુક્યા છે. નારાયણસામી મોટાભાગે કિરણ બેદી પર ચૂંટાયેલી સરકારના દૈનિક કામકાજમાં દરમિયાનગીરી કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. ત્યાં સુધી કે વર્ષ 2019માં ફેબ્રુઆરીમાં નારાયણસામી ઉપરાજ્યપાલના રહેઠાણ રાજ નિવાસની બહાર મંત્રીઓ સાથે ધરણા પર બેસી ગયા હતા.

જોકે, આ સાથે એવું કહેવામાં આવે છે કે કેન્દ્રએ નારાયણસામીની ફરિયાદને લીધે નહીં પણ પુડ્ડુચેરીના ભાજપ તથા સહયોગી AIADMK નેતાઓ પાસેથી મળેલા પ્રતિભાવોના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. પુડ્ડુચેરીના ભાજપા અને AIADMK નેતાઓને ડર હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કિરણ બેદીને ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બનાવી શકે છે. હકીકતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કિરણ બેદીએ પ્રજાને નારાજ કરતા અનેક નિર્ણયો લીધા છે.

રાહુલ ગાંધીના પુડ્ડુચેરી પ્રવાસ અગાઉ કિરણ બેદીને હટાવવાનો નિર્ણય સામે આવ્યો છે. કેટલાક નિષ્ણાતોનુ કહેવું છે કે રાહુલ પોતાના પ્રવાસ દરમિયાન કિરણ બેદી પર આકરા પ્રહારો કરવાની તૈયારીમાં હતા. જોકે, બેદીને હટાવવામાં આવતા મુખ્યમંત્રી નારાયણસામીએ દાવો કર્યો કે તેમના દબાણને લીધે ભારત સરકારે કિરણ બેદીને પદ પરથી હટાવ્યા છે, કારણ કે તેઓ કલ્યાણલક્ષી યોજનાઓમાં અવરોધ ઉભો કરતા હતા.

કોણ છે તમિલિસાઈ કે જેમને ઉપ-રાજ્યપાલ બનાવવામાં આવ્યા?
તેલંગાનાના ગવર્નર ડો.તમિલિસાઈ સુંદરરાજનને પુડુચેરીના LGનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે. તમિલિસાઈ કોંગ્રેસના સિનિયર લીડર અને ભૂતપુર્વ સાંસદ કુમારી અનંતનની દિકરી છે. અલબત તેમનું સંપૂર્ણ રાજકીય કેરિયર ભાજપનું જ રહ્યું છે.

ચેન્નાઈના શ્રી રામચંદ્રન મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર રહી ચુકેલા તમિલિસાઈએ પાંચ વર્ષની નોકરી બાદ રાજકારણમાં જોડાયા હતા. વર્ષ 1999માં ભાજપની સાઉથ ચેન્નઈ મેડિકલ વિંગની સેક્રેટરી બન્યા. આશરે 20 વર્ષના રાજકારણમાં તેઓ તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ, ભાજપના રાષ્ટ્રીય સચિવ જેવા પદો પર રહ્યા હતા.

જોકે, તેઓ ક્યારેય ધારાસભ્ય કે સાંસદ બની શક્યા ન હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ કરુણાનિધિની દિકરી કનીમોઝી સામે હારી ગયા હતા. ત્યારબાદ તેમણે તેલંગાણાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post