• Home
  • News
  • નાગપુર : ભારત આ વર્ષે ઘરઆંગણે પ્રથમ T-20 સીરિઝ જીત્યું, અંતિમ મેચમાં બાંગ્લાદેશને 30 રને હરાવ્યું
post

ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટે 174 રન કર્યા, બાંગ્લાદેશ 144 રનમાં ઓલઆઉટ, ચહરે હેટ્રિક સહિત 6 વિકેટ લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-11 11:30:48

નાગપુર  : ભારતે બાંગ્લાદેશને નાગપુર ખાતેની ત્રીજી T-20માં રને હરાવ્યું હતું. તે સાથે જ ટીમ ઇન્ડિયાએ 3 મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. 175 રનનો પીછો કરતાં બાંગ્લાદેશ 144 રન જ કરી શક્યું હતું. એક સમયે મહેમાન ટીમે 2 વિકેટે 110 રન કર્યા હતા અને તેને જીત માટે 43 બોલમાં 65 રનની જરૂર હતી. જોકે તે પછી ભારતીય બોલર્સે મેચમાં વાપસી કરીને શાનદાર રીતે મેચ જીતી હતી. દિપક ચહરે પોતાનું કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 3.2 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે શફિઉલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન અને અમીનુલ ઇસ્લામને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. તેનો સાથ આપતા શિવમ દુબે પણ 3 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ માટે મોહમ્મદ નઇમે સર્વાધિક 81 રન કર્યા હતા.

 

ભારતે પ્રથમ દાવમાં 174 રન કર્યા :

ભારતે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને નિર્ણાયક ટી-20માં 20 ઓવરના અંતે 5 વિકેટે 174 રન કર્યા છે. ઓપનર્સ રોહિત શર્મા અને શિખર ધવન સસ્તામાં આઉટ થયા પછી લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરે બાજી સંભાળી હતી. ઐયરે 33 બોલમાં 3 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી પોતાના કરિયરની મેડન ફિફટી ફટકારતાં 62 રન કર્યા હતા. જયારે રાહુલે કરિયરની છઠી ફિફટી ફટકારતાં 35 બોલમાં 7 ચોક્કાની મદદથી 52 રન કર્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 59 રનની પાર્ટનરશીપ કરી હતી. બાંગ્લાદેશ માટે શફિઉલ ઇસ્લામ અને સૌમ્ય સરકારે 2-2 વિકેટ લીધી હતી.

 

પંતે ફરી એકવાર નિરાશ કર્યા :
ઓપનર રોહિત શર્મા 2 રને એસ ઇસ્લામની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેના પછી શિખર ધવન પણ 19 રને ઇસ્લામનો જ શિકાર થયો હતો. તેણે 16 બોલમાં ચાર ચોક્કા માર્યા હતા. ઋષભ પંતે ફરી એકવાર બેટથી નિરાશ કર્યા હતા. તે 9 બોલમાં 6 રને સૌમ્ય સરકારની બોલિંગમાં આઉટ થયો હતો. ઐયરનો શૂન્ય રને ઇસ્લામની બોલિંગમાં અમિનુલે સરળ કેચ છોડ્યો હતો. ઐયર અને રાહુલના આઉટ થયા પછી મનીષ પાંડેએ ફિનિશિંગ ટચ આપતા 13 બોલમાં 22 રન કર્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post