કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે બપોરે નાગરિકતા સંશોધન બિલ, 2019ને રાજ્યસભામાં રજુ કરશે
Written By newsonline | Ahmedabad | Published: 2019-12-11 10:37:08
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
બુધવારે બપોરે નાગરિકતા સંશોધન બિલ, 2019ને રાજ્યસભામાં રજુ કરશે. આ બિલ
સોમવારે અડધી રાતે લોકસભામાં પાસ થયું હતું. વિપક્ષ પાર્ટી અને પૂર્વોત્તરના
રાજ્યો આ બિલની વિરોધમાં છે. મંગળવારે આસામ અને ત્રિપુરામાં ઘણા સ્થળો પર પ્રદર્શન
અને આગ ચાંપી પણ થઈ હતી. કોંગ્રેસ આ બિલના વિરોધમાં આજે દેશવ્યાપી ધરણા પ્રદર્શન
કરશે.
લોકસભામાં બિલ પર લગભગ 14 કલાક સુધી
ચર્ચા ચાલી હતી. જેના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 વોટ પડ્યા હતા.
વિપક્ષ પાર્ટીએ બિલને ધર્મના આધારે ભેદભાવ કરનારું ગણાવ્યું હતું.