અસલમાં જાવેદ અખ્તરના પ્રથમ લગ્ન તેમનાથી દસ વર્ષ નાની હની સાથે થયા હતાં
એક ગીતકાર તરીકે જાવેદ અખ્તરને કોઇ પરિચયની જરૂર નથી. ‘તુમકો દેખા તો યે ખયાલ આયા’ હોય કે પછી ‘પ્યાર મુજસે જો કીયા તુમને ક્યા પાઓગી’ જાવેદ અખ્તરના દરેક શબ્દમાં તે જાદૂ છે જે સીધુ લોકોના દિલમાં ઉતરી જાય છે. જૂની પેઢી જ નહી પણ આજના યુવાનોને મૌસિકીમાં પણ રસ છે તેઓ જાવેદ અખ્તરને પસંદ કરે છે. પરંતુ આજે જાવેદ અખ્તરના જન્મ દિવસે અમે તે કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જ્યારે જાવેદ અખ્તરના ગીતોનો જાદૂ નહી પણ જાવેદ અખ્તર પર કોઇએ જાદૂ કરી નાંખ્યું.
અસલમાં જાવેદ અખ્તરના પ્રથમ લગ્ન તેમનાથી દસ વર્ષ નાની હની સાથે થયા હતાં. તેમના બે બાળકો ઝોયા અને ફરહાન અખ્તર છે. પરંતુ આ કિસ્સો 1970નો છે જ્યારે જાવેદ, ફૈની આઝમીના ઘરે સંગીત શીખવા જતા હતા. આ દરમિયાન બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને ધીરે-ધીરે તેની ખબર જાવેદની પત્ની હનીને થઇ ગઇ, જેના પછી બંન્ને વચ્ચે ઝઘડાઓ શરૂ થઇ ગયા, બાદમાં જાવેદે હની સાથે તલાક લેવાનો નિર્ણય કરી લીધો.
વર્ષ 1978મા બંન્નેએ અલગ થવાનો નિર્ણય કર્યો પરંતુ આ વિશે તેમણે બાળકોને જાણકારી ન થવા દીધી. જોકે હની અને જાવેદના ડિવોર્સ થયા નહી આવામાં શબાના સાથે લગ્નમાં મુશ્કેલી આવી રહી હતી, પરંતુ વર્ષ 1984માં હની અને જાવેદના તલાક થઇ ગયા.
એક બાજૂ જ્યાં જાવેદ અખ્તર લગ્ન માટે તૈયાર હતા તો બીજી બાજૂ શબાના આઝમીના પિતા કૈફી આઝમી આ સંબંધને લઇ તૈયાર ન હતાં. કૈફીને લાગતુ હતું કે, શબાનાનાં કારણે જ હની અને જાવેદના ડિવોર્સ થયા. તેઓ ઇચ્છતા ન હતા કે શબાના પરિણીત વ્યક્તિ સાથે લગ્ન કરે.
જોકે શબાનાએ પિતા કૈફીને વિશ્વાસ અપાવ્યો કે જાવેદ અને હનીનો સંબંધનો અંત તેના કારણે નથી થયો. જેના પછી કૈફી આઝમીએ શબાના આઝમીને જાવેદ અખ્તર સાથે લગન કરવાની પરવાનગી આપી દીધી.