બાળકની કસ્ટડીને લઈને અલગ-અલગ રહેતાં પતિ-પત્ની વચ્ચેનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે
એક
બાળક માટે તેનાં નાના-નાની સાથે રહેવાથી અનેકગણું વધારે મહત્ત્વપૂર્ણ હોય છે તેનાં
માતા-પિતા સાથે રહેવાનું. માતા-પિતા સાથે રહેવાથી બાળક ઘણું બધું શીખે છે. આ
ટિપ્પણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે મંગળવારે 7 વર્ષના બાળકની કસ્ટડી
મામલે સુનાવણી કરતી વખતે કરી હતી. તેમણે બાળકને વિડિયો- કોન્ફરન્સિંગમાં બોલાવી
તેની સાથે વાતચીત પણ કરી હતી.
બાળકની
કસ્ટડીને લઈને અલગ-અલગ રહેતાં પતિ-પત્ની વચ્ચેનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
હાલના સમયે બાળક તેની માતા તથા નાના-નાની સાથે રહે છે. જસ્ટિસ ચંદ્રચૂડે મંગળવારે
આ મામલે સુનાવણી શરૂ થતાં જ કહ્યું હતું કે તેમને એ જરાય પસંદ નથી કે બાળકને એક
રીતે નાના-નાની પર થોપી દેવામાં આવે. નાના-નાની સાથે બાળક ત્યારે રહેવું જોઈએ
જ્યારે તે બાળક સાથે જાતે રહેવા માગતું હોય. તેમને એટલા માટે બાળક સાથે ન રહેવું
જોઇએ કે તેમને બાળકની દેખરેખ કરવાની જરૂર છે. બાળકનું માતા-પિતા સાથે રહેવું વધારે
જરૂરી હોય છે,
નહીં
કે નાના-નાની સાથે. બાળકના પિતાએ દલીલ કરી હતી કે તે હંમેશાં ઈચ્છતા હતા કે
પત્નીને પાછી ઘરે લઈ આવે,
જેનાથી
બાળકને માતા-પિતા બંનેનો પ્રેમ મળે. તેના પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે તેના
માટે એ પણ જરૂરી હોવું જોઈએ કે તમારી પત્ની પણ તમારી સાથે જવા રાજી હોય.