BMCએ 9 સપ્ટેમ્બરના રોજ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું કહીને તોડફોડ કરી હતી
કંગના રનૌત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. હાલમાં જ
કંગનાના કઝિન ભાઈ કરનના લગ્ન યોજાયા હતા. ત્યારબાદ કંગનાના સગા ભાઈ અક્ષતના પણ
લગ્ન લેવાશે. જોકે, આ
દરમિયાન કંગનાએ ફરી એકવાર જાતિવાદ પર ટ્વીટ કરીને વિવાદ સર્જ્યો છે. આ પહેલા
કંગનાએ ઓગસ્ટ મહિનામાં જાતિવાદ વિરુદ્ધ વાત કરી હતી.
કંગનાએ શું ટ્વીટ કરી?
કંગનાએ પોતાની ટ્વીટમાં કહ્યું હતું, 'દેશમાં કોઈ પણ જાતિના આધારે નહીં
પરંતુ ગરીબીને ધ્યાનમાં રાખીને અનામત આપવી જોઈએ. મને ખ્યાલ છે કે રાજપૂત ઘણી જ
ખરાબ સ્થિતિમાં છે, પરંતુ
જ્યારે બ્રાહ્મણોની સ્થિતિ અંગે વાંચુ છું તો ઘણું જ દુઃખ થાય છે.'
જાતિ વ્યવસ્થા પર કંગના શું માને
છે?
કંગનાએ
23 ઓગસ્ટના
રોજ ટ્વીટ કરીને કહ્યું હતું, 'આધુનિક ભારતીયોએ જાતિગત વ્યવસ્થાનો અસ્વીકાર કર્યો છે. નાના
શહેરોમાં પણ દરેક લોકોને ખ્યાલ છે કે આ કાનૂન-વ્યવસ્થા બિલકુલ સ્વીકાર્ય નથી. જોકે, કેટલાંક લોકોને માટે આ ખુશીની વાત
છે. માત્ર આપણું બંધારણ અનામતને માને છે. આને જવા દો. આ અંગે સાથે મળીને વાત કરીએ.'
દશેરાના દિવસે સંજય રાઉત
પર નિશાન સાધ્યું
જાતિવાદની ટ્વીટ બાદ
કંગનાએ સોશિયલ મીડિયામાં ચાહકોને દશેરાની શુભેચ્છા પાઠવી હતી અને આ સાથે જ તેણે
શિવસેના નેતા સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું. તેણે પોતાની ઓફિસની તસવીર શૅર
કરીને કહ્યું હતું, 'મારું તૂટેલું સપનું તને જોઈને હસી રહ્યું છે. પપ્પુ
સેના મારું ઘર તોડી શકે છે પરંતુ મારી હિંમતને નહીં. બંગલા નંબર 5 આજે અનિષ્ટ પર ઈષ્ટની
ઉજવણી કરી રહ્યું છે. હેપ્પી દશેરા.'
9 સપ્ટેમ્બરે કંગનાની ઓફિસ
તોડવામાં આવી હતી
BMCએ 9 સપ્ટેમ્બરના રોજ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ
થયું હોવાનું કહીને તોડફોડ કરી હતી. કહેવાય છે કે BMCએ 40 ટકા ભાગ તોડી પાડ્યો
હતો. તોડફોડ વિરુદ્ધ કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 2 કરોડ રૂપિયાનું વળતર
માગ્યું હતું. હાઈકોર્ટે હજી સુધી પોતાનો ચુકાદો આ કેસમાં આપ્યો નથી.
કંગનાએ 2017માં આ બંગલો ખરીદ્યો હતો
કંગનાએ પાલી હિલ
સ્થિત આ બંગલો 2017માં ખરીદ્યો હતો. આ
વર્ષે જાન્યુઆરીમાં બંગલાનું રિનોવેશનનું કામ પૂરું થયું હતું. કંગનાએ આ બંગલામાં
ઓફિસ તથા ઘર એમ બંને બનાવ્યું હતું.