અભિનેતા કાર્તિક આર્યન ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’માં બીજી એક વાતને લઈને પણ ચર્ચાયો હતો
Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 11:10:02
પ્રેમની સૌથી અણમોલ નિશાની એટલે તાજમહેલ. આ તાજમહેલની આગળ બાહોમાં બાહો નાખીને સારા અને કાર્તિકે ફોટો પડાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. લવ આજ કલનું પ્રમોશન કરતી વખતે સારા અને કાર્તિકે ફેન્સને પણ ખુશ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્તિક અને સારાએ ફેન્સની ડિમાન્ડ પર સારાને ખોળામાં પણ ઉંચકી હતી. ત્યારે અનેક ફોટો વાયરલ થઈ રહ્યા છે અને હાલમાં સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અભિનેતા કાર્તિક આર્યન ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’માં બીજી એક વાતને લઈને પણ ચર્ચાયો હતો. આ ફિલ્મમાં કાર્તિકે બે પાત્રો ભજવ્યા છે. આ ફિલ્મને લઈને કાર્તિક આર્યને ખૂબ મહેનત પણ કરી છે. ફિલ્મના સેટ પરથી પોતાનો એક ફોટો શેર કરતા કાર્તિકે જણાવ્યું કે, તેમણે આ ફિલ્મ માટે 8 કિલો વજન ઘટાડ્યો છે.