• Home
  • News
  • વડોદરામાં લવ જેહાદનો મામલો:નેતાની ઓફર, અયાઝ હિન્દુ બને તો 25 લાખનો ફ્લેટ અને નોકરી અપાવીશ, યુવતીના પથારીવશ પિતાએ કહ્યું ‘દીકરીને ઘરે પાછી લાવીશ’
post

લવ જેહાદની ઘટનાના પગલે એક નેતા લાગણીશીલ બની ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 10:32:35

લવ જેહાદની ઘટના પ્રકાશમાં આવતા હિંદુ નેતાઓ સક્રિય થયા છે. એક નેતાએ તો લાગણીશીલ બની જઇ કહ્યું હતું કે અયાઝ હિન્દુ બને તો 25 લાખનો ફ્લેટ અને નોકરી અપાવીશ. એક મહિલા અગ્રણીએ અન્ય ધર્મમાં લગ્ન કર્યા બાદ ઉભી થતી મુશ્કેલી અંગે યુવતીને વાત કરી સમજાવી હતી અને જણાવ્યું હતું કે અન્ય ધર્મમાં તો વધારે લગ્ન કરવાની છૂટ હોય છે અને તારી સાથે લગ્ન કર્યા બાદ છ મહિના પછી તારો પતિ બીજી યુવતી સાથે લગ્ન કરશે તો તું શું કરીશ.સામાન્ય દિવસોમાં રાજકીય પક્ષોના આગેવાનો અને નેતાઓ સતત વ્યસ્ત રહેતા હોવાથી કોઈ મળવા જાય તો અડધો કલાક લાઈનમાં પણ ઉભુ રહેવું પડે છે ગુરુવારે આ આગેવાનો અને નેતા સામે ચાલીને યુવતીને મળવા ગયા હતા અને સમજાવવા પ્રયાસ કર્યા હતા.

યુવકને ચેતવ્યો હતો કે પુત્રી સાથે બોલવાનું બંધ કરે
નાગરવાડા ની 23 વર્ષીય બ્રાહ્મણ યુવતીના પિતાએ જણાવ્યું હતું કે આ ઘટનાથી હું ખૂબ દુઃખી છું અને મેં પાંચ દિવસથી કંઈ પણ ખાધું સુદ્ધાં નથી. મારી તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. હું કંપનીમાં જોબ કરું છું અને મને મારી દીકરીના આ બનાવની મોડી ખબર પડી હતી.મારા દીકરાએ ફોન કરીને આવી ઘટના બન્યાની જાણ કરી હતી. છ મહિના પહેલાં પણ મેં આ છોકરાને સ્ટ્રીકલી વોર્નિંગ આપી હતી કે મારી દીકરી સાથે બોલવાનું બંધ કરી દે.એ છોકરો કામ ધંધો કરતો નથી બુધવારે રાત્રે પોલીસ સ્ટેશનમાં મારી છોકરી મને મળી પણ તેની સાથે કઈ વાત ન થઈ. ગુરુવારે સવારે તેની સાથે ફોન પર વાત થઇ હતી અને મેં એને કહ્યું હતું કે હું તને કોઈ પણ સંજોગોમાં આપણા ઘરે પાછી લાવીશ.

adv

Related News

post
post
post
post
post
post
post