રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરોની લાઈટ બંધ કરી દીપ પ્રગટાવી આ કટોકટીની ઘડીમાં સૌથી સાથે હોવાનો સંદેશ આપ્યો
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 09:52:56
મુંબઈ : પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 5મી એપ્રિલના
રોજ રાત્રે 9 વાગે 9 મિનિટ
માટે ઘરની લાઈટ બંધ કરીને દીપ અને મીણબતી પ્રગટાવી કોરોના વાઈરસની મહામારી સામે
કોઈ પણ વ્યક્તિ એકલી નથી અને સૌ કોઈ સાથે છે તે બાબતનો સ્પષ્ટ સંદેશ આપવા તેમ જ
કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવા માટે આહવાન કર્યું હતું. જેને લઈને સામાન્ય નાગરિકથી લઈ
દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ અપીલને સમર્થન આપ્યું
હતું. અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા રતન ટાટાએ પણ રાત્રે 9 વાગે 9 મિનિટ
માટે ઘરોની લાઈટ બંધ કરી દીપ પ્રગટાવી આ કટોકટીની ઘડીમાં સૌથી સાથે હોવાનો સંદેશ
આપ્યો હતો તેમ કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો
હતો.