ભજીયા સ્ટોલ પર ખાલી બેંચો સિવાય કશું જ નથી, દરિયાઇ ગણેશનો ઘંટનાદ 2 કિમી દૂર સંભળાય છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 09:56:32
સુરત: ડુમસ..આ શબ્દ સુરતીઓ
સાથે ખુબ નજીકથી જોડાયેલો છે. કેમ કે રજા હોય કે કોઇ તહેવાર..સુરતીઓ એક શબ્દ તો
જરૂરથી બોલે છે ‘ચાલો ડુમસ’. જો કે
લોક ડાઉન બાદ ઘણા લોકો ડુમસ જઇ શક્યા નથી. હાલ દરિયા ગણેશનો સમગ્ર વિસ્તાર સાવ
સૂમસામ છે. એક સમયે ભજીયા માટે લાંબી લાઇનો લાગતી તે ભજીયાના સ્ટોલ પર ખાલી બેંચો
સિવાય કશું જ નથી. કિનારા પર દરિયાના મોજા સિવાય બીજી કોઇ ધ્વનિ સંભળાતી નથી. એ
કારણે દરિયાઇ ગણેશ મંદિરનો ઘંટનાદ બે કિમી દુર આવેલા લંગર સુધી સંભળાય છે. હાલ
આપણું ડુમસ વધારે સુંદર લાગી રહ્યું છે.