• Home
  • News
  • LGએ મોકલ્યો પત્ર: CM કેજરીવાલે કહ્યુ, 'આજ એક ઔર લવ લેટર આયા હૈ'
post

હું દિલ્હીવાસીઓને વિશ્વાસ અપાવુ છુ જ્યાં સુધી તમારો આ પુત્ર જીવતો છે, ચિંતા ના કરતા. તમારો વાળ પણ વાંકો થવા દઈશ નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-08 18:45:25

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ વીકે સક્સેના વચ્ચે વિવાદ ઓછો થઈ રહ્યો નથી. શુક્રવારે સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે જેટલુ એલજી સાહેબ મને ધમકાવે છે તેટલુ તો મારી પત્ની પણ મને ધમકાવતી નથી અને જેટલા લવ લેટર તેમણે છેલ્લા 6 મહિનામાં લખ્યા છે એટલા તો તેમની પત્નીએ પણ જીવન દરમિયાન દરમિયાન લખ્યા નથી. આજે ફરી સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યુ કે આજે ફરી લવ લેટર આવ્યો છે. 

સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યુ કે આજે વધુ એક લવ લેટર આવ્યો છે. આજે સીએમ કેજરીવાલને એલજી વીકે સક્સેના તરફથી છ પાનાનો પત્ર મોકલવામાં આવ્યો છે. સીએમ કેજરીવાલે વધુ એક ટ્વીટ કરી લખ્યુ, બીજેપી એલજી દ્વારા દિલ્હીના લોકોનુ જીવન તબાહ કરવામાં લાગી ગયા છે. દરરોજ આ લોકો કોઈને કોઈ વાતને મુદ્દે વિવાદ ઉભો કરી દે છે. હું દિલ્હીવાસીઓને વિશ્વાસ અપાવુ છુ જ્યાં સુધી તમારો આ પુત્ર જીવતો છે, ચિંતા ના કરતા. તમારો વાળ પણ વાંકો થવા દઈશ નહીં. 

 

adv

Related News

post
post
post
post
post
post
post