બાળકો હોય તે જ માતા કૂખ ભાડે આપી શકે, સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું
ગાંધીનગર: સાંપ્રત જીવનમાં
મેડિકલક્ષેત્રે વધી રહેલા સરોગેસી માતાના ચલણના મામલે સરકારે કડક કાયદો અમલમાં
લાવી દીધો છે. 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે, એ મુજબ હવેથી કોઇપણ
મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક
રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ
ફરજિયાત કરી દેવાયો છે. જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ
છે.
કયા-કયા નિયમો અમલમાં
આવી ગયા
·
હવેથી ધંધાદારી સરોગેસી નિષેધ
·
અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ કાયદાકીય કે, જેમાં મેડિકલ ખર્ચ તથા 36 મહિનાના વીમા સિવાય
કોઈપણ ચાર્જ, ફી, વળતરનો સમાવેશ થતો નથી.
·
સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત
ઇચ્છુક દંપતીની લાયકાત
·
પરિણીત હોય
·
સ્ત્રીની ઉંમર 23થી 50 વચ્ચે હોય
·
પુરુષની ઉંમર 26થી 55 વચ્ચે હોય
·
ઇચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ
કોઈ જીવિત બાળક હોવું ન જોઇએ.
કોણ-કોણ સરોગેટ મધર બની
શકે
·
પરિણીત હોય
·
ઉંમર 25થી 35 વર્ષ હોય
·
લાઇફમાં એક જ વાર બની શકાય
·
શારીરિક-માનસિક રીતે ફિટનું પ્રમાણપત્ર હોય
અગાઉ કોઈ રોકટોક નહોતી
મેડિકલના જાણકારો કહે છે કે સરોગેસી મામલે અગાઉ કોઇ નિયમ ન હતા. કૂખ ભાડે
આપનારી મહિલાઓ મળી રહેતી હતી, જેનો ચાર્જ કૂખ ભાડે લેનાર દંપતી ચૂકવતા હતા.
એક્સપર્ટ : ધંધાદારી
પ્રવૃત્તિ પર લગામ
મેડિકોલીગલ એક્સપર્ટ ડો. વિનેશ શાહ કહે છે, સરકારે ઘડેલો કાયદો
મંગળવારથી અમલમાં આવશે. અત્યારસુધી સરોગેસી મામલે કોઇ રોકટોક ન હતી, એટલે પ્રોફેશનલ્સ પણ
એક્ટિવ હતા. હવે કાયદાનો ભંગ થાય તો કડક સજાની જોગવાઈ છે.