2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બંને બેઠકો પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો
લખનૌ: લોકસભાની પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી. કારણકે સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પરાજય આપ્યો છે.
આ
બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ મનાય છે. 2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ
ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી
જિત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી
પડી હતી. જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા. આઝમ ખાન પોતે જ
પ્રચાર કરી રહ્યા હતા છતા પણ આ બેઠક સપાએ ગુમાવી છે.
આઝમગઢ
બીજી તરફ આઝમગઢ બેઠક પર
ભાજપના ઉમેદવર દિનેશલાલ યાદવ નિરહુઆએ 14000 મતની સરસાઈ મેળવી લીધી છે. આ
સાથે જ તેમની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે. આ બેઠક પર મતગણતરીની શરુઆતમાં
સપાના ઉમેદવાર આગળ હતા પણ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ નિરહુઆએ ધર્મેન્દ્ર યાદવને પાછળ
છોડવા માંડ્યા હતા.