આર્થિક સંકટના કારણે ગ્રાહકો માટે રિફીલ કરાવવું મુશ્કેલ
નવી દિલ્હી: LPG (રાંધણગેસ)
સિલિન્ડરના વધતા ભાવ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને લાકડાં, કોલસા જેવા અશુદ્ધ ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પાડી રહ્યા છે.
તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 25% ગ્રાહકોએ
ફરી સિલિન્ડર ભરાવ્યા જ નથી. આ ખુલાસો એસબીઆઇ રિસર્ચના તાજેતરના રિપોર્ટ
ઇકોપ્રેપમાં થયો છે, જે મુજબ દિલ્હીમાં સબસિડી વિનાના સિલિન્ડરનો ભાવ ઓગસ્ટ, 2019માં 575 રૂ. હતો, જે ફેબ્રુઆરી, 2020માં 859 રૂ. થઇ ગયો છે.
દર વર્ષે 4 સિલિન્ડર મફત આપવા સહિત સૂચન પણ છે
રિસર્ચ દરમિયાન ડિસેમ્બર, 2018 સુધીમાં અપાયેલા 5.92 કરોડ કનેક્શન તથા 3 જૂન, 2019 સુધીમાં રિફીલ કરાયેલા સિલિન્ડરના રાજ્યવાર ડેટાનું વિશ્લેષણ કરાયું. ઉજ્જ્વલા યોજનાએ દેશભરમાં એલપીજી સિલિન્ડરની ઉપલબ્ધતાની સમસ્યા તો ઉકેલી નાખી છે પણ તેનો બોજ ઉઠાવવાની ક્ષમતા હજુ પણ સમસ્યારૂપ છે. આ સમસ્યા ઉકેલવા એસબીઆઇ રિસર્ચે ઘણા ઉપાય પણ સૂચવ્યા છે, જેમાં પસંદગીના પરિવારોને દર વર્ષે 4 સિલિન્ડર મફત આપવા સહિત આ સૂચન પણ છે.
57%એ 3થી વધુ વખત સિલિન્ડર ભરાવ્યો
રિફીલ |
લાભાર્થી |
ક્યારેય નહીં |
24.6% |
1-2 વખત |
17.9% |
3 વખત |
11.7% |
4 કે વધુ |
45.8% |