રોહિત ભારદ્વાજ લગ્નના 16 વર્ષ બાદ ડિવોર્સ લઈ રહ્યો છે
મુંબઈ: થોડાં સમય પહેલાં
સમાચાર હતા કે બી આર ચોપરાના શો 'મહાભારત'માં શ્રીકૃષ્ણનો રોલ ભજવનારા નિતીશ ભારદ્વાજ બીજીવાર
ડિવોર્સ લે છે. હવે નવા 'મહાભારત'માં યુધિષ્ઠિરનો રોલ ભજવીને લોકપ્રિય થનાર રોહિત ભારદ્વાજ લગ્નના 16 વર્ષ બાદ ડિવોર્સ લઈ
રહ્યો છે.
નાનપણની મિત્ર સાથે
લગ્ન કર્યા હતા
રોહિતે નાનપણની મિત્ર પૂનમ સાથે લગ્ન કર્યા હતા. જોકે, હવે બંને ડિવોર્સ લઈ
રહ્યા છે. 'ઇ ટાઇમ્સ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં રોહિતે કહ્યું હતું કે 2017માં ઇન્ડોનેશિયાની ટૂર
બાદથી ઘરમાં ઝઘડા વધી ગયા હતા. લગ્ન બાદથી જ તેની અને પૂનમ વચ્ચે ખટરાગ રહેતો હતો.
જોકે, તેઓ દર વખતે સમાધાન કરી લેતા હતા. અલબત્ત, ઇન્ડોનેશિયાની ટૂર બાદ
તેમની વચ્ચેનો અણબનાવ વધી ગયો હતો અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી.
ચાર વર્ષથી અલગ રહે છે
વધુમાં રોહિતે કહ્યું હતું કે તે છેલ્લાં ચાર વર્ષથી પત્નીથી અલગ રહે છે.
શરૂઆતમાં મતભેદો હતા અને પછી તે વધતા જ ગયા હતા. તેણે પત્ની સાથે સમાધાન કરવાના
પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ તે લગ્નને બચાવી શક્યો નહીં. ડિવોર્સની લીગલ પ્રોસેસ ચાલે છે અને આગામી
બે મહિનામાં ડિવોર્સ થઈ જશે.
2021માં માતાનું અવસાન થયું
ગયા વર્ષે રોહિતની માતાનું અવસાન થયું હતું. રોહિતે કહ્યું હતું કે માતાનું
કાર્ડિયેક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તે હજી પણ માતાના અવસાનના દુઃખમાંથી
બહાર આવી શક્યો નથી. તેના પિતા દિલ્હીમાં એકલા રહે છે, આથી જ તે અવારનવાર
દિલ્હી જાય છે.
રોહિત બે વર્ષથી
દીકરીને મળ્યો નથી
રોહિત તથા પૂનમને 10 વર્ષીય દીકરી પાર્થિવી છે. દીકરી રોહિતની પત્ની સાથે દિલ્હીમાં રહે છે. રોહિતે
કહ્યું હતું કે તેણે છેલ્લાં બે વર્ષથી દીકરીનો ચહેરો પણ જોયો નથી, કારણ કે તે તેની માતા
પાસે રહે છે.
રોહિત ત્રણ વર્ષથી
ટીવીથી દૂર
રોહિતે પોતાની કરિયરની શરૂઆત ટીવી સિરિયલ 'રણબીર રાનો'થી કરી હતી. જોકે, તેને ખરી ઓળખ 'મહાભારત'માં યુધિષ્ઠિરનું પાત્ર
ભજવીને મળી હતી. રોહિત છેલ્લે 2019માં સિરિયલ 'લાલ ઇશ્ક'માં જોવા મળ્યો હતો.