ભારતને બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીને ખાસ કરીને ટીમ ઈન્ડિયા સાથે T20 ટીમ ચલાવવા માટે કહેવામાં આવી શકે છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ
બોર્ડ ICC
T20 વર્લ્ડ
કપ સેમિફાઇનલમાંથી બહાર નીકળ્યા અને મોટી ટૂર્નામેન્ટોમાં સતત નિષ્ફળતા બાદ મોટો
ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ તૈયારીઓ વચ્ચે BCCI ભારતના પૂર્વ કેપ્ટન
મહેન્દ્ર સિંહ ધોનીને મોટી જવાબદારી સોંપવા જઈ રહ્યું છે.
મળતી
માહિતી પ્રમાણે BCCI
ભારતીય
T20 ક્રિકેટના સેટઅપ સાથે
મોટી ભૂમિકા માટે ધોનીને SOS
મોકલવા
માટે તૈયાર છે. BCCI
ભારતીય
ક્રિકેટમાં સ્થાયી ભૂમિકા માટે ધોનીને બોલાવવાનું વિચારી રહ્યું છે.
ભારતીય
ક્રિકેટ કંટ્રોલને લાગી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે ત્રણેય
ફોર્મેટમાં મેનેજમેન્ટનું કામ કરવું થોડું ભારે છે.
BCCI કોચિંગની ભૂમિકાઓને વિભાજિત
કરવા પર વિચાર કરી રહી છે. આ જોતા BCCI ધોનીને સામેલ કરવા અને ટીમ
ઈન્ડિયાનું સ્તર ઉંચુ કરવાના પ્રયાસો કરી રહી છે. અહેવાલો અનુસાર, આ મહિનાના અંતમાં
યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.
રિપોર્ટ્સમાં
દાવો કરવામાં આવ્યો છે કે મહેન્દ્ર સિંહ ધોની IPL 2023ની રમતમાંથી સંન્યાસ લઈ
શકે છે. જે બાદ BCCI
તેને
તેના અનુભવ અને ટેકનિકનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની મોટી જવાબદારી આપી શકે છે.
ભારતને બે વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીને ખાસ કરીને ટીમ
ઈન્ડિયા સાથે T20
ટીમ
ચલાવવા માટે કહેવામાં આવી શકે છે.
જોકે, ધોનીને ક્યારે અને કયા
ફોર્મેટમાં જવાબદારી સોંપવામાં આવશે તે અંગે બીસીસીઆઈ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ
કરવામાં આવી નથી. મહત્વનું છે કે,આ મહિનાના અંત સુધીમાં BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં
ધોનીની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે.