વિધાનસભામાં પુછાયેલાં એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના આંકડા મુજબ રાજ્યમાં 4,12, 985 લોકો બેરોજગાર છે
રાજ્યમાં છેલ્લા ઘણા સયમથી
યુવા બેરોજગારો સરકારી નોકરીઓ (Gujarat Government Jobs) માટે આંદોલન કરી રહ્યા છે. તો બીજી બાજુ રૂપાણી
સરકાર (Rupani
Government) ભાજપ
સરકારમાં લાખો લોકોને રોજગાર આપતું હોવાની વાતો કરતું આવ્યું છે. પણ રૂપાણી
સરકારનાં આ તમામ દાવા પોકળ સાબિત થયા છે. કેમ કે વિધાનસભામાં સરકારે જ જાહેર
કરેલાં આંકડા અનુસાર છેલ્લા બે વર્ષમાં માત્ર 1777 લોકોને જ સરકારી નોકરી મળી છે. એટલે લાખો
નોકરીઓની વાતો માત્ર વાતો જ રહી ગઈ છે.
વિધાનસભામાં
પુછાયેલાં એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના આંકડા મુજબ રાજ્યમાં 4,12, 985 લોકો બેરોજગાર છે.
રાજ્યમાં 3,92,418
શિક્ષિત
બેરોજગાર અને 20,566
અર્ધશિક્ષિત
બેરોજગાર મળીને કુલ 4,12,
985 બેરોજગારો
નોંધાયેલા છે. બે વર્ષમાં 1777
બેરોજગારોને
માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને 15 જિલ્લાઓમાં એક પણ સરકારી
નોકરી આપવામાં આવી નથી.
આમ આજે
વિધાનસભા ગૃહમાં જ સરકારી આંકડાઓમાં જ રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે.
અને આ જ કારણ છે કે રાજ્યના યુવા બેરોજગારો સતત સરકારી નોકરીઓ માટે આંદોલન કરતાં
રહે છે. તેવામાં હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતીને આવેલી ભાજપ સરકાર
યુવાઓને રોજગારી આગામી સમયમાં રોજગારી આપી શકશે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થયા
છે.