1 જાન્યુઆરી 2023થી સેટેલાઇટ ટીવી ચેનલો માટે આ નિયમ જરૂરી બની જાય તેવી સંભાવનાઓ
નવી દિલ્હી: હાલ દેશભક્તો માટે એક
સારા સમાચાર આવ્યા છે. આગામી સમયમાં તમામ TV ચેનલોએ દેશહિતને લગતી સામગ્રી
ફરજીયાત પ્રસારિત કરવાની રહેશે. તમામ ચેનલોએ દેશહિતને લગતો પ્રોગ્રામ અડધો કલાક
પ્રસારીત કરવાનો રહેશે. આ માટે મોદી સરકારે તમામ ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર
કરી છે.
ભારતીય
ટેલિવિઝન ચેનલો માટે દરરોજ 30 મિનિટ માટે 'દેશહિત'ની સામગ્રી પ્રસારિત કરવી જરૂરી રહેશે. 1 જાન્યુઆરી 2023થી સેટેલાઇટ ટીવી ચેનલો
માટે આ નિયમ જરૂરી બની જાય તેવી સંભાવનાઓ છે. નવી ગાઈડલાઈન મુજબ હવે ટીવી ચેનલોએ
દરરોજ 30
મિનિટ
માટે દેશહિત સાથે સંબંધિત સામગ્રીનું પ્રસારણ ફરજીયાત કરવું પડશે.
આ
મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય કેબિનેટે ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝન ચેનલોના અપલિંકિંગ
અને ડાઉનલિંકિંગ માટેની માર્ગદર્શિકા-2022ને મંજૂરી આપી હતી. આ નવી
ગાઈડલાઈન મુજબ ચેનલોને દેશહિતની સામગ્રીને દરરોજ અડધો કલાક પ્રસારિત કરવાની
ફરજીયાત રહેશે.