દેશમાં પાછા કોરોનાના કેસ 40 હજાર ઉપર નોંધાઈ રહ્યા છે.
નવી દિલ્હી: દેશમાં પાછા કોરોનાના કેસ 40 હજાર ઉપર નોંધાઈ રહ્યા
છે. છેલ્લા 24
કલાકમાં
કોરોનાના નવા 41
હજારથી
વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે 507 લોકોએ જીવ ગુમાવ્યા છે.
નવા 41 હજારથી વધુ કેસ નોંધાયા
કેન્દ્રીય
આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના
નવા 41,383
દર્દીઓ
નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 3,12,57,720 પર પહોંચી છે. એક
દિવસમાં 38,652
જેટલા
દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,04,29,339 થઈ છે. હાલ 4,09,394 દર્દીઓ સારવાર હેઠળ છે.
ગઈ કાલે કોરોનાના નવા 42,015
કેસ
નોંધાયા હતા.
એક દિવસમાં 507 લોકોના મૃત્યુ
છેલ્લા
24 કલાકમાં દેશભરમાંથી
કોરોનાના કારણે 507
લોકોના
જીવ ગયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,18,987 થયો છે. ગઈ કાલે
મહારાષ્ટ્રના જૂના મોતનો આંકડો જોડાવાના કારણે મોતની સંખ્યા અચાનક વધી ગઈ હતી અને
એક દિવસમાં 3998
દર્દીઓનો
મોત નોંધાયા હતા. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ રસીના કુલ 41,78,51,151 ડોઝ આપવામાં આવેલા છે.
17 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન
કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોના વાયરસના 17,18,439 ટેસ્ટ કરવામાં આવ્યા
હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 45,09,11,712 પર પહોંચી ગયો છે.