હવે સવારના 5થી રાતના 10 વાગ્યા સુધી બહાર રહી શકાશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મંગળવારે અનલોક-2 માટે ગાઈડલાઈન જારી કરી. અનલોક-2માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ગાઈડલાઈન પ્રમાણે દુકાનો
પર 5 કરતા વધારે લોકોની એન્ટ્રી આપવામાં આવશે. જોકે તે સમયે
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત
સરકારે નાઈટ કર્ફ્યૂમાં આપવામાં આવેલી છૂટને એક કલાક વધારી છે. હવે લોકો સવારે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી
બહાર રહી શકશે.
અનલોક-1 |
અનલોક-2 |
|
નાઈટ કર્ફ્યૂ |
રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો |
રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નિકળવા પર પ્રતિબંધ.એટલે કે લોકો એક કલાક
વધારે ઘર બહાર નિકળી શકશે |
ફક્ત આવશ્યક સેવા માટે છૂટ હતી |
શિફ્ટમાં કામ કરતા લોકો પણ જઈ શકે છે. બસો, ટ્રેનો અને વિમાનથી ઉતરી લોકો ઘરે જઈ શકશે |
|
દુકાન |
એક સમયમાં 5 લોકોને
મંજૂરી આપવામાં આવી હતી |
હવે પાંચથી વધારે લોકો સામાન ખરીદી શકે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી |
ઘરેલુ ઉડ્ડયન સેવા તથા ટ્રેનોમાં વધારો થશે
નવી ગાઈડલાઈનમાં સરકારે કહ્યું
છે કે ઘરેલુ ઉડ્ડયનો અને પેસેન્જર ટ્રેનોને હવે મર્યાદિત રીત ચલાવવામાં આવશે. તેમ
જ તેમા વધારો કરવામાં આવશે.