બોર્ડે આ કરારની યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ નથી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ આજે વર્ષ 2019-2020 માટે ખેલાડીઓના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બીસીસીઆઈની આ જાહેરાતે દરેક ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા. કારણ કે બોર્ડે આ કરારની યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ નથી કર્યો. જોકે હવે સોશિયલ મીડિયા પર બીસીસીઆઈના આ નિર્ણયને લઈ ઘમાસાણ મચી જવા પામ્યું છે.
સૂચના વગર પ્રેક્ટિસ કરવા પહોંચ્યો ધોની:
મીડિયા રિપોર્ટ મુજબ ઝારખંડ ટીમ મેનેજમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું કે,‘અમને પણ એ વાતની ખબર નહોતી કે ધોની અમારી સાથે પ્રેક્ટિસ કરવા આવવાના છે. આ સરસ સરપ્રાઇઝ હતી. તેમણે થોડા સમય સુધી બેટિંગ કરી.’ માહિતી મુજબ ઝારખંડ તેની આગામી રણજી મેચ રાંચીમાં મંગળવારે ઉત્તરાખંડ વિરુદ્ધ રમશે. આપને જણાવી દઈએ કે ધોનીએ છેલ્લી વન ડે મેચ વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.