ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વઆયોજીત નહોતા
Written By newsonline | Ahmedabad | Published: 2019-12-11 11:59:54
ગાંધીનગરઃ ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વઆયોજીત નહોતા.
માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. આ તોફાનોમાં
રાજકીય આગેવાન અશોક ભટ્ટ, ભરત બારોટ અને હરેન પંડ્યાની પણ સંડોવણી નહોતી.
આજે વિધાનસભામાં રજૂ થયેલા નાણાવટી પંચના અહેવાલ અંગેની વિગતો આપતા ગૃહરાજ્યમંત્રી
પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા
પૂરવાર થયા છે. આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા
હોવાનું પૂરવાર થયું છે.