21 નવેમ્બરે કડક સુરક્ષા વચ્ચે શરૂ થઈ મતગણતરી
નવી દિલ્હી: નેપાળના પ્રધાનમંત્રી શેર
બહાદુર દેઉબા સામાન્ય ચૂંટણીમાં સતત 7મી વખત દાડેલધુરા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. 20 નવેમ્બરે મતદાન
પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ પછી 21 નવેમ્બરે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. અત્યાર
સુધીની મતગણતરી મુજબ દેઉબાની પાર્ટી નેપાળી કોંગ્રેસ આગળ છે. નેપાળી કોંગ્રેસે
સંસદમાં 20
બેઠકો
જીતી છે. આ સાથે જ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી 3 સીટો મેળવવામાં સફળ રહી
છે. નેપાળની સંસદની કુલ 275
બેઠકો
અને પ્રાંતીય એસેમ્બલીની 550
બેઠકો
માટે મતદાન થયું હતું. દેશના 1 કરોડ 80 લાખથી વધુ મતદારો તેમની
સરકારને ચૂંટશે. તેના પરિણામો એક સપ્તાહમાં આવવાની ધારણા છે.
વડાપ્રધાન
શેર બહાદુર દેઉબાનું કહેવું છે કે, ઉશ્કેરણી
અને શબ્દોના યુદ્ધને બદલે તેઓ ભારત સાથેના વિવાદને કૂટનીતિ અને વાતચીત દ્વારા
ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેપાળના રાજકીય પક્ષોમાં અમેરિકા અને ચીન તરફથી મળતી
આર્થિક મદદને લઈને મતભેદો છે. દેઉબાની પાર્ટીએ અમેરિકન મિલેનિયમ ચેલેન્જ કો-ઓપરેશન
હેઠળ 42 હજાર કરોડ રૂપિયાની મદદ સ્વીકારી છે. તે
સંસદ દ્વારા પણ પસાર કરવામાં આવ્યો છે. જ્યારે કેપી શર્મા ઓલીનો પક્ષ ચીન સાથે
બીઆરઆઈ કરાર માટે વધુ ઉત્સુક જણાય છે. નાના પક્ષોએ વિદેશી સહાય અંગે ચૂંટણી
પ્રચારમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ઓલીનું કહેવું છે કે, તેઓ વડાપ્રધાન બનતાની સાથે જ ભારત સાથે સીમા વિવાદનો ઉકેલ
લાવશે. તેઓ દેશની એક ઇંચ જમીન પણ જવા દેશે નહીં. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે, 2 વર્ષથી વધુ સમય સત્તામાં હોવા છતાં ઓલીએ વિવાદને ઉકેલવા
માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો. જેમ કે, પીએમ
ઓલીએ નેપાળમાં કાલાપાની, લિપુલેખ
અને લિમ્પિયાધુરા દર્શાવતો નવો નકશો જાહેર કર્યો હતો. ભારત તેમને તેના ઉત્તરાખંડ
પ્રાંતનો એક ભાગ માને છે. ઓલીએ નેપાળી સંસદમાં પણ આ નકશો પસાર કરાવ્યો હતો.