પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા
Written By newsonline | Ahmedabad | Published: 2019-11-22 11:05:45
અમદાવાદ: પાંજરાપોળ ચાર
રસ્તા પર બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા. અકસ્માત પછી ડ્રાઈવર
બસ મૂકી ભાગી છૂટ્યો હતો. પરંતુ તેની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. અકસ્માતને પગલે
આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)એ બંધનું એલાન આપ્યું છે.દરમિયાન
એનએસયુઆઈ દ્વારા લો ગાર્ડન ખાતે બસ રોકવામાં આવી હતી અને ટાયરોમાંથી હવા કાઢી દીધી
હતી.
બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતથી ખફા એનએસયુઆઈએ સવારે બસો બંધ
કરાવવાનું શરૂ કરતાં શહેરના લો ગાર્ડન પાસે મુસાફરો રઝળી પડ્યા હતા. લોકોમાં તેને
લઈને રોષ જોવા મળ્યો હતો. જોકે આ સિવાય અન્યત્ર રાબેતા મુજબ બસ સેવા ચાલી રહી છે.