જવાનોના ગોળીબારમાં નાગરિકનું મોત થયું હોવાનો સ્થાનિક પક્ષોનો દાવો, વિવાદ વચ્ચે તપાસની માગણી
શ્રીનગર
: જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સીઆરપીએફ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં
આવ્યો હતો. આ દરમિયાન સામસામે થયેલા ગોળીબારમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું.
જેને પગલે કાશ્મીરના
રાજકીય પક્ષો દ્વારા આ મામલે મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો અને તપાસની માગણી
કરવામાં આવી છે. અહીંની એક નાકાપાર્ટીએ સીઆરપીએફ પર હુમલો કરાયો હતો. જેના જવાબમાં
જવાનોએ ગોળીબાર કરતા આ ઘટના બની હોવાના અહેવાલો છે.
બીજી તરફ ધરપકડ કરાયેલો
એક પાકિસ્તાની આતંકી માર્યો ગયો હતો. જ્યારે ત્રણ સુરક્ષા જવાનો ગંભીર રીતે ઘવાયા
હતા. પૂંચના જંગલોમાં ચાલી રહેલા જોઇન્ટ ઓપરેશન દરમિયાન આ ઘટના સામે આવી હતી.
પૂંચમાં છેલ્લા 14
દિવસથી
સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ ઓપરેશન શરૂ થયું તેના
પ્રથમ દિવસે સૈન્યના નવ જવાનો શહીદ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા
એક આતંકીને લઇને જવાનો જઇ રહ્યા હતા ત્યારે જ લશ્કરે તોયબાના આતંકી દ્વારા ગોળીબાર
કરવામાં આવ્યો હતો. જેમાં પાક.નો આ આતંકી માર્યો ગયો હતો.
આ આતંકીની અગાઉ ધરપકડ થઇ
ચુકી છે પણ તે છુટીને ભાગી ગયો હતો અને પૂંચના એ વિસ્તારમાં છુપાયો હતો કે જ્યાં
સૈન્ય દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પૂંચમાં 13 દિવસ પહેલા આતંકીઓેએ
હુમલો કર્યો હતો જેમાં નવ જવાનો શહીદ થયા હતા. તે બાદથી અહીંના જંગલોમાં આ ઓપરેશન
ચાલી રહ્યું છે.
કાશ્મીરમાં 12 હજાર કરોડનું રોકાણ
આવ્યું : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન
અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાત માટે ગયા હતા. તેમની ત્રણ દિવસની આ મુલાકાત
દરમિયાન અમિત શાહે જમ્મુના ભગવતી નગરમાં રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે
કોંગ્રેસ,
નેશનલ
કોન્ફરન્સ અને પીડીપીનંુ નામ લીધા વગર કહ્યું હતું કે છેલ્લા સાત દસકામાં જમ્મુ
કાશ્મીરનો વિકાસ ન થયો તે બદલ આ ત્રણ પરિવારે લોકોને જવાબ આપવો પડશે. આ દરમિયાન
તેમણે કહ્યું હતંુ કે 12000
કરોડ
રૂપિયાનું રોકાણ યુનિયન ટેરેટરીમાં આવી ગયું છે. અને વર્ષ 2022 સુધીમાં આ રોકાણનું
પ્રમાણ વધારીને 51000
કરોડ
કરવાનો ટાર્ગેટ છે. જેનાથી રાજ્યમાં પાંચ લાખ લોકોને નોકરી મળી રહેશે.