પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નેશનલ એસેંબલીમાં બહુમત પ્રાપ્ત કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે એસેંબલીમાં થયેલી વોટિંગમાં તેમણે આ જીત પ્રાપ્ત કરી લીધી. ઇમરાન ખાનના પક્ષમાં 178 વોટ પડ્યા.
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન
ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીમાં બહુમત પ્રાપ્ત કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર
શનિવારે એસેમ્બલીમાં થયેલી વોટિંગમાં તેમણે આ જીત પ્રાપ્ત કરી લીધી. ઇમરાન ખાનના
પક્ષમાં 178
વોટ
પડ્યા.
હકિકતમાં
પાકિસ્તાનમાં સીનેટ ચૂંટણી નાણામંત્રી અબ્દુલ હફીજ શેખની હારના લીધે ઇમરાન ખાનની
સરકારને નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો. વિદેશ મંત્રી અમિત
શાહ મહમૂદ કુરૈશીએ નેશનલ એસેમ્બલીમાં પ્રસ્તાવ રજૂ કર્યો. જ્યારે વોટિંગ થઇ તો ઇમરાન
ખાનના પક્ષમાં 178
વોટ
પડ્યા.
આ
પહેલાં વિપક્ષએ વિશ્વાસ મત પ્રસ્તાવ પર મતદાન દરમિયાન સંસદના બહિષ્કારની જાહેરાત
કરી હતી. જોકે તેનાથી ઇમરાન ખાને રાહત આપવામાં આવી છે. વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ
થતાં પહેલાં ઇમરાન ખાને પોતાના સાંસદોને કહ્યું હતું કે તે પાર્ટી લાઇનને ફોલો
કરે. સાથે જ તેમનું કહેવું હતું કે વિશ્વાસ મતને લઇને થનાર વોટિંગમાં જે નિર્ણય
આવશે તે તેનું સન્માન કરશે. જો તે તેમાં હારી ગયા તો તે વિપક્ષમાં બેસવા માટે
તૈયાર છે. 342
સભ્યોવાળી
નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ એટલે પીટીઆઇના 157 સભ્ય છે.