• Home
  • News
  • મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડને જેલ:હાફિઝ સઇદને 10 વર્ષની જેલ, ગેરકાયદે ફંડિંગના મામલે પાકિસ્તાનની કોર્ટે સજા સંભળાવી
post

આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ હાફિઝને લાહોરની એક કોર્ટે ટેરર ફંડિંગના બે મામલામાં દોષી જાહેર કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-20 10:39:00

પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝ્મ કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદને ગેરકાયદે ફંડિંગના મામલે 10 વર્ષ જેલની સજા સંભળાવી છે. પાકિસ્તાની મીડિયાએ ગુરૂવારે આ જાણકારી આપી. હાફિઝ સઇદને ગત વર્ષે 17 જુલાઈએ પકડવામાં આવ્યો હતો. હાફિઝ મુંબઈમાં થયેલા આતંકી હુમલાનો મુખ્ય આરોપી છે. આ હુમલામાં 166 લોકોના મોત નિપજ્યા હતા.

સઇદની સાથે વધુ આરોપીઓ પ્રૉ. ઝફર ઈકબાલ અને યાહ્યા મુઝાહિદને બે કેસમાં પાંચ-પાંચ વર્ષની અને બીજા અન્ય મામલામાં છ મહિનાની જેલની સજા સંભળાવી છે. તેમના પર 1,10,000 રૂપિયાનો દંડ પણ લગાડવામાં આવ્યો છે. તમામ ચલ-અચલ સંપત્તિઓને પણ જપ્ત કરવામાં આવી છે.

હાફિઝ સઇદ વિરૂદ્ધ 41 કેસ
આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ હાફિઝને લાહોરની એક કોર્ટે ટેરર ફંડિંગના બે મામલામાં દોષી જાહેર કર્યો હતો. ત્યારે કોર્ટે તેને 5 વર્ષ કેદની સજા સંભળાવી હતી. સઇદ વિરૂદ્ધ આતંકી ફંડિંગ, મની લોન્ડ્રિંગ અને ગેરકાયદ કબજા સહિતના 41 કેસ દાખલ છે.

હાફિઝ સઇદ લશ્કર-એ-તોયબાના સંસ્થાપક છે. 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પછી અમેરિકાએ આ સંગઠનને વિદેશી આતંકી સંગઠનની લિસ્ટમાં સામેલ કર્યું હતું. 2002માં પાકિસ્તાની સરકારે પણ લશ્કર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ હાફિઝ સઇદે નવું આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા બનાવ્યું હતું.

પાકિસ્તાન કરતું રહ્યું છે પેંતરાબાજી
કેટલાંક મહિના પહેલાં જ પાકિસ્તાને લશ્કર-એ-તોયબા અને જમાત-ઉદ-દાવાના પાંચ મોટા આતંકીઓના બેંક એકાઉન્ટ ફરીથી શરૂ કરી દીધા છે. જેમાં હાફિઝ સઇદનું એકાઉન્ટ પણ સામેલ હતું. પાકિસ્તાની મીડિયાએ ત્યારે દાવો કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સેક્શન કમિટીની મંજૂરી પછી એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post