મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતી ઈંગ્લેન્ડમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને ઓળખે છે
એક્ટ્રેસ પરિણીતી ચોપરા
અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં જ સગાઈ કરી શકે છે. AAP સાંસદ સંજીવ અરોરાએ
મંગળવારે સવારે 11 વાગ્યે ટ્વિટર પર કપલના ફોટા શેર કરીને કપલને અભિનંદન પાઠવ્યાં છે.
મારી શુભકામનાઓ તમારી
સાથે છે - સંજીવ
ફોટો શેર કરતાં સંજીવે લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક
અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે તેઓ પ્રેમ અને આનંદથી એકબીજા સાથે રહે.
મારી શુભકામનાઓ તમારી સાથે છે.'
અત્યારસુધી પરિણીતી અને
રાઘવે આ સંબંધ પર ખૂલીને કંઈ કહ્યું નથી. આ સ્થિતિમાં પોસ્ટ સામે આવ્યા પછી ચાહકો
કપલની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.
યુઝર્સે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી
જ્યારથી સંજીવની પોસ્ટ સામે આવી છે, યુઝર્સ સોશિયલ મીડિયા પર
પ્રતિક્રિયાઓનો ઢગલો થઈ રહ્યો છે. એક તરફ ઘણા ચાહકો આ પોસ્ટ પર કપલને અભિનંદન આપી
રહ્યા છે તો બીજી તરફ યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે ટ્વીટ પર લખ્યું-
'અરે ભાઈ, શું તેમનો સંબંધ કન્ફર્મ થઈ
ગયો છે?', બીજા યુઝરે લખ્યું- 'પરિણીતી ટૂંક સમયમાં આમ આદમી
પાર્ટીની ધારાસભ્ય બનશે.' ત્રીજા યુઝરે લખ્યું- 'આજકાલ કોણ શું પ્રમોટ કરે છે એ જ ખબર નથી પડતી!’
ચોથા યુઝરે લખ્યું- શું તેઓ જલદી લગ્ન કરવા જઈ રહ્યાં
છે?
પરિણીતી મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી
ડેટિંગની અફવાઓ વચ્ચે પરિણીતી 26 માર્ચ,
રવિવારના રોજ પ્રખ્યાત ફેશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના
ઘરની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. જ્યારથી આ
વીડિયો સામે આવ્યો છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે પરિણીતીએ તેની સગાઈની
તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કપલ તેમના સંબંધોની
સત્તાવાર જાહેરાત શક્ય એટલી વહેલી કરી શકે છે.
રાઘવ અને પરિણીતીએ સાથે ડિનર કર્યું હતું
‘ટાઈમ્સ
ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, રાઘવ અને પરિણીતી લાંબા સમયથી
પ્રેમમાં છે અને તેમનાં પરિવારજનો પણ આ સંબંધ માટે સહમત છે. હાલમાં જ તેઓ મુંબઈની
એક રેસ્ટોરાંની બહાર સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ સાથે લંચ અને ડિનર કર્યું, ત્યાર પછી તેમના રિલેશનશિપના
સમાચાર ચર્ચામાં આવ્યા.
સગાઈની જાહેરાત ટૂંક
સમયમાં થઈ શકે છે
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, બંનેના પરિવારના સભ્યો પોતપોતાનાં કામમાં વ્યસ્ત છે, તેથી તારીખની
જાહેરાતમાં સમય લાગી રહ્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે આ કપલ કોઈ મોટા
કાર્યક્રમમાં તેમની સગાઈની જાહેરાત કરી શકે છે.
રાઘવ અને પરિણીતી
કોલેજકાળથી એકબીજાને ઓળખે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતી ઈંગ્લેન્ડમાં ભણતાં હતાં ત્યારથી એકબીજાને
ઓળખે છે. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે, જ્યારે રાઘવે લંડન
સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી અને રાઘવને ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા
યુકે આઉટસ્ટેન્ડિંગ અચિવર્સ અવોર્ડથી પણ નવાજવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં
બ્રિટિશ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું.