નાણાંનો ઉપયોગ પોતાની મૂડીગત જરૂરિયાતો સંતોષવા અને સપ્લાય ચેન મજબૂત બનાવવા કરશે
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 08:43:46
નવી દિલ્હી: કોરોના વાઇરસ અને લૉકડાઉનના પગલે મંદીની આશંકા વચ્ચે ભારતીય રોકાણકારોએ ગુરુવારે 250 કરોડ રૂ.ના મૂલ્યનો ડિબેન્ચર ઈસ્યૂ માત્ર 3 મિનિટમાં 100 ટકા સબસ્ક્રાઇબ કરી નાખ્યો.
સપ્લાય ચેન મજબૂત બનાવશે
યોગગુરુ બાબા
રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનો આ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનો ઈસ્યૂ
ખૂલતાંની સાથે જ પૂરો ભરાઈ ગયો હતો. પતંજલિ આયુર્વેદ દ્વારા જારી નિવેદન
મુજબ તે આ નાણાંનો ઉપયોગ પોતાની મૂડીગત જરૂરિયાતો સંતોષવા અને સપ્લાય ચેન મજબૂત
બનાવવામાં કરશે.