• Home
  • News
  • પોલીસકર્મીઓ કિશોરીનો મૃતદેહ લઈને 500 મીટર ભાગ્યા:માતા પણ પાછળ દોડતી રહી; નગ્ન અવસ્થામાં કિશોરીનો મૃતદેહ મળ્યો; પિતાએ ગેંગરેપ પછી હત્યાનો આરોપ લગાવ્યો
post

પોલીસ અને ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-04 18:46:34

ઔરૈયા: સોમવારે ઉત્તરપ્રદેશના ઔરૈયાની 17 વર્ષની કિશારીનો મૃતદેહ ખેતરમાંથી નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તે સવારે 8 વાગે ખેતરમાં ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી. કિશોરીનો મૃતદેહ તેના ઘરથી 500 મીટર દૂરથી જ મળ્યો હતો. તેના ગળામાં દુપટ્ટો લપેટાયેલો હતો. પિતાએ ગેંગરેપ બાદ પુત્રીની હત્યા કરવામાં આવી હોવાના આરોપ લગાવ્યા છે.

જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગેંગરેપની પુષ્ટિ થઈ નથી. એક આંખ પર સોજો અને હોઠ પર દાંતના નિશાન જોવા મળ્યા છે. ગળું દબાવવાથી એટલે કે ગૂંગળામણથી મોત થયું હોવાની વાત પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી છે. કિશોરીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળવાના સમાચાર મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં ત્યાં ગ્રામજનો ભીડ એકઠી થવા લાગી હતી.

ગ્રામજનોનું કહેવું છે કે પોલીસે તરત જ મૃતદેહને બેગમાં પેક કરી દીધો હતો. એ બાદ તેઓ ત્યાંથી મૃતદેહ લઈને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન યુવતીની માતા પોલીસની પાછળ-પાછળ દોડી રહી હતી. તેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. લગભગ 500 મીટર પછી પોલીસે મૃતદેહને વાહનમાં મૂકીને તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જોકે એસપી ચારુ નિગમે મૃતદેહ લઈને ભાગવાની વાતને નકારી હતી. તેમણે કહ્યું હતું કે ખેતરમાંથી મૃતદેહ મળ્યો હતો, વાહન ત્યાંથી 500 મીટર દૂર હતું. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓ મૃતદેહને લઈને વાહન સુધી લઈ ગયા હતા.

કિશોરી ઘરેથી ખેતરમાં ગઈ હતી, શોધખોળ કરતાં તેનો મૃતદેહ મળ્યો
પીડિતા દિબિયાપુરના એક ગામમાં તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. તેની મોટી બે બહેન પરિણીત છે. ભાઈ પરિવાર સાથે ગુજરાતના સુરતમાં રહે છે. સોમવારે સવારે 8 વાગ્યાની આસપાસ તે ગામની બહાર ખેતરમાં ગઈ હતી. એ દરમિયાન તેના પિતા તેના ખેતરમાં કામ કરવા ગયા હતા. જ્યારે તેઓ ખેતરોમાંથી ઘરે પરત ફર્યા ત્યારે ત્યાં પુત્રી ન હતી. જ્યારે આ અંગે શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે ઘરથી લગભગ 500 મીટરના અંતરે આવેલા બાજરીના ખેતરમાંથી કિશોરીનો નગ્ન અવસ્થામાં પડ્યો હતો.

મૃતકના પિતાએ જણાવ્યું હતું કે હું ખેતરેથી ઘરે પરત ફર્યો ત્યારે પુત્રી ઘરે મળી ન હતી, જ્યારે તેની શોધખોળ શરૂ કરી તો ખબર પડી કે તે ખેતર તરફ ગઈ હતી. એ બાદ ઘરથી 500 મીટર દૂર ખેતરમાં નગ્ન અવસ્થામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના ગળામાં દુપટ્ટો લપેટાયેલો હતો. ગેંગરેપ બાદ તેની હત્યા કરવામાં આવી હતી."

પોલીસ અને ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે
જે બાજરીના ખેતરમાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં નજીકમાં 200 મીટર સુધી બાજરી વેર-વિખેર હાલતમાં મળી આવી હતી. માટી પર ઢસડાયાના નિશાન પણ મળી આવ્યા હતા. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે કિશોરીએ મૃત્યુ પહેલાં ભાગી જવા માટે સંઘર્ષ કર્યો હોવો જોઈએ. પોલીસ અને ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે. પોલીસને ઘટનાસ્થળેથી ચપ્પલ પણ મળી આવ્યા છે. ચપ્પલ ઉપરાંત કપડાં પણ આસપાસથી મળી આવ્યાં છે. ખુલાસો માટે પોલીસની 10 ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં સર્વેલન્સ અને એસઓજીની ટીમો પણ છે. પિતા અને માતા સિવાય આઈજી પ્રશાંત કુમારે ઘણા ગામવાસીઓ સાથે અલગથી વાત કરી.

રસ્તા પર જ દુર્ગા પંડાલ લગાવવામાં આવ્યો હતો
આઈજીએ કહ્યું હતું કે હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો નથી, પરંતુ જે ખુલાસો થયો છે એમાં બળાત્કારને લઈને અંદરના ભાગમાં ઈજાનાં નિશાન મળ્યા નથી. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ગ્રામજનોએ જણાવ્યું હતું કે નવરાત્રિ પર ગામની સામે રોડ અને દુર્ગા પંડાલ લગાવવામાં આવ્યો હતો. ત્યાં દરરોજ સવાર-સાંજ આરતીમાં જતી હતી. પિતા પણ ઘટનાસ્થળેથી 200 મીટર દૂર ખેતરોમાં કામ કરી રહ્યા હતા. કેમ કોઈએ બૂમો સાંભળી નહીં?

adv

Related News

post
post
post
post
post
post
post