• Home
  • News
  • રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે ઇ મેમો બંધ કરવા માટે હર્ષ સંઘવીને રજૂઆત કરી
post

ધારાસભ્ય ગોવિંદ પટેલે નિવેદન આપ્યું હતું કે, ઇ મેમોને કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 16:26:07

રાજકોટ: રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ ઇ મેમો મામલે કાળઝાળ થયા છે. રાજકોટ અને અમદાવાદ પોલીસ દ્વારા 26 તારીખ સુધીમાં ઇ મેમો ભરી જવા માટેની વાહન ચાલકોને નોટિસ ઇસ્યુ કરી અને ટેક્સ મેસેજ કર્યા છે. જો ઇ મેમો નહિ ભરવામાં આવે તો લોક અદાલતમાં હાજર રહેવા અને કેસ કરવા સુધીની ધમકીઓ વાહન ચાલકોને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. 

ધારાસભ્ય ગોવિંદ પટેલે નિવેદન આપ્યું હતું કે, ઇ મેમોને કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. લોકો ઇ મેમો મુદ્દે પિસાઈ રહ્યા છે. ઇ મેમો બંધ કરવા ગૃહમંત્રીને રજૂઆત કરી છે. ઇ મેમો અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરીશું.

adv

Related News

post
post
post
post
post
post
post