ધારાસભ્ય ગોવિંદ પટેલે નિવેદન આપ્યું હતું કે, ઇ મેમોને કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે
Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 16:26:07
રાજકોટ: રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ ઇ મેમો
મામલે કાળઝાળ થયા છે. રાજકોટ અને અમદાવાદ પોલીસ દ્વારા 26 તારીખ સુધીમાં ઇ મેમો
ભરી જવા માટેની વાહન ચાલકોને નોટિસ ઇસ્યુ કરી અને ટેક્સ મેસેજ કર્યા છે. જો ઇ મેમો
નહિ ભરવામાં આવે તો લોક અદાલતમાં હાજર રહેવા અને કેસ કરવા સુધીની ધમકીઓ વાહન
ચાલકોને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે
નિવેદન આપ્યું હતું કે,
ઇ
મેમોને કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને
રજૂઆત કરી છે. લોકો ઇ મેમો મુદ્દે પિસાઈ રહ્યા છે. ઇ મેમો બંધ કરવા ગૃહમંત્રીને
રજૂઆત કરી છે. ઇ મેમો અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરીશું.