• Home
  • News
  • રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક:બ્રેન ડેડ અવસ્થામાં, હાર્ટ પણ યોગ્ય રીતે કામ કરતું નથી, પરિવારને હવે ભગવાન પર આશા
post

10 ઓગસ્ટ, 2022ના રોજ રાજુ શ્રીવાસ્તવને હાર્ટ-અટેક આવ્યો હતો. ત્યાર બાદ દિલ્હીની AIIMSમાં એડમિટ કરવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 18:08:12

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ફરી એકવાર ગંભીર થઈ છે. બુધવાર, 17 ઓગસ્ટની મોડી રાતથી તબિયત બગડી હતી અને વારંવાર હુમલાઓ આવી રહ્યા છે. ડૉક્ટર્સે માથાનો સીટી સ્કેન કરાવ્યો હતો અને એમાં મગજના એક હિસ્સામાં સોજો હોવાનું જાણવા મળ્યું હતું. મોટા ભાઈ સીપી શ્રીવાસ્તવે કહ્યું હતું, 'મગજમાં પાણી ભરાઈ ગયું છે. ડૉક્ટર્સે સ્થિતિ ચિંતાજનક હોવાનું કહ્યું છે.' પરિવારના સભ્યો તથા અનેક સંબંધીઓ દિલ્હીની AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં આવ્યા છે.

બ્રેન ડેડની અવસ્થામાં, હાર્ટમાં પણ પ્રૉબ્લેમ
રાજુના મુખ્ય સલાહકાર અજિત સક્સેનાએ કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવનું બ્રેન લગભગ ડેડની સ્થિતિમાં આવી ગયું છે. તેઓ હવે ભગવાન ભરોસે છે. તે જ કંઈ ચમત્કાર કરી શકે છે. વધુમાં અજિત સક્સેનાએ કહ્યું હતું કે રાજનું મગજ કામ કરતું નથી. હાર્ટમાં પણ પ્રૉબ્લેમ છે. બધા જ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. પરિવારને હવે કંઈ જ ખબર પડતી નથી.

ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ 24 કલાક દેખરેખ રાખે છે
રાજુના પ્રવક્તા ગર્વિત નારંગે કહ્યું હતું કે ન્યૂરોલોજી વિભાગના સ્પેશિયલ ડૉક્ટર્સની ટીમ 24 કલાક રાજુની દેખરેખ કરે છે. ડૉ. આંચલ શ્રીવાસ્તવના નેતૃત્વમાં તેમની સારવાર ચાલે છે. 10 ઇન્જેક્શન બહારથી મંગાવવામાં આવ્યા હતા. તે ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત લથડી હતી. ડૉક્ટર્સ પોતાના તરફથી શક્ય તેટલા પ્રયાસો કરે છે.

રાજુ શ્રીવાસ્તવ માટે દવાની સાથે દુઆની મદદ લેવામાં આવી છે. કાશી વિશ્વનાથ ધામ તથા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ થઈ રહ્યો છે.

સિંગર કૈલાસ ખેરે 21 સંત પાસે જાપ કરાવવાનું સૂચન કર્યું
10
ઓગસ્ટ, 2022ના રોજ રાજુ શ્રીવાસ્તવને હાર્ટ-અટેક આવ્યો હતો. ત્યાર બાદ દિલ્હીની AIIMSમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે નવ દિવસ બાદ પણ હજી સુધી ભાન આવ્યું નથી. ચાર દિવસ પહેલાં સિંગર કૈલાસ ખેરે રાજુ શ્રીવાસ્તવ માટે 21 સંતો પાસે મહામૃત્યુંજય જાપ કરાવવાનું કહ્યું હતું. પરિવાર હવે ધાર્મિક આસ્થા સાથે રાજુની તબિયત સુધરે એ માટે પ્રયાસ કરે છે. પૂજારી ધર્મેન્દ્ર કૃષ્ણાએ કહ્યું હતું, 'મહામૃત્યુંજય મંત્રજાપથી શિવજીની કૃપા રહે છે. આ મંત્ર અકાળ મૃત્યુથી બચાવે છે.' ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનના સારા સ્વાસ્થ્ય માટે કાશી વિશ્વનાથ મંદિરમાં મૃત્યુંજય જાપ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ-અધ્યક્ષા સોનિયા ગાંધી માટે ઉજ્જૈનમાં હાલમાં જ મૃત્યુંજય જાપ કરાવવામાં આવ્યો હતો.

દેશભરમાંથી લોકો મળવા આવી રહ્યા છે
મોટા ભાઈએ વધુમાં કહ્યું હતું, 'રાજુના ચાહકો AIIMSમાં આવી રહ્યા છે. કોઈપણ પ્રકારનો ચેપ ના લાગે, આથી જ પરિવારની સહમતી પર ICUમાં તમામની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાહકો પરિવારને મળીને રાજુની તબિયત પૂછે છે.'

adv

Related News

post
post
post
post
post
post
post