બોલીવુડમાં એકવાર ફરીથી કપૂર ખાનદાનથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ વખતે અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) વિશે પરેશાન કરી નાખે તેવી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસથી રણબીરની તબિયત સારી નથી. એવું કહેવાઈ રહ્યું છે કે રણબીર પણ કોરોના વાયરસ (Corona Virus) ની ઝપેટમાં આવ્યો હોઈ શકે છે.
નવી દિલ્હી: બોલીવુડમાં એકવાર ફરીથી
કપૂર ખાનદાનથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ વખતે અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) વિશે પરેશાન કરી નાખે
તેવી વાત સામે આવી છે. વાત
જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસથી રણબીરની તબિયત સારી નથી. એવું કહેવાઈ રહ્યું
છે કે રણબીર પણ કોરોના વાયરસ (Corona Virus) ની ઝપેટમાં આવ્યો હોઈ શકે છે.
રણધીર કપૂરે આપી જાણકારી
રણબીર
કપૂરના કાકા અને દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે (Randhir Kapoor) પોતે આ વાતની જાણકારી
આપી છે કે રણબીર બીમાર પડ્યો છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે રણબીર કોરોના
વાયરસથી સંક્રમિત થયો હોઈ શકે છે. જેના કારણે હવે તેણે પોતાને ક્વોરન્ટાઈન કર્યો
છે.
રણબીરના ફેન્સ થયા પરેશાન
રણધીરે
ત્યારબાદ વધુમાં કહ્યું કે 'રણબીરની તબિયત ઠીક નથી. પરંતુ મને ખબર નથી કે તેને કોરોના
થયો છે કે નહીં. હાલ હું શહેરની બહાર છું.' રણબીર વિશે આ બધી વાત સામે આવતા હવે તેની તબિયતને
લઈને ફેન્સ ખુબ પરેશાન થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર સતત હાલચાલ પૂછી રહ્યા છે.
અભિનેતાને ચાહનારા તેના જલદી સાજા થઈ જવાની કામના કરી રહ્યા છે.
આ ફિલ્મો વિશે ચર્ચામાં છે રણબીર
રણબીર
કપૂરની ફિલ્મી કરિયરની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી તે અયાન મુખર્જીના
નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના રિલીઝની રાહ જોઈ રહ્યો છે. તે ઉપરાંત
બહુ જલદી શમશેરા,
એનિમલ, અને લવ રંજનની અનટાઈટલ્ડ
ફિલ્મમાં પણ જોવા મળશે.
ફેન્સ રણબીરની રાહ જોઈ
રહ્યા છે
ફિલ્મો
ઉપરાંત રણબીર પોતાની લવ લાઈફ વિશે પણ ખુબ ચર્ચામાં છે. ઘણા સમયથી આલિયા ભટ્ટ સાથે
રિલેશનશીપમાં છે. આવામાં ફેન્સ તેના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.