Corona Impact On Indian Economy: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગર્વનરે પ્રેસ કોન્ફ્રેન્સ (Press Conference) કરીને વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી.
નવી દિલ્લીઃ દેશમાં કોરોનાનું
સંક્રમણ સતત વધી રહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગર્વનરે પ્રેસ
કોન્ફ્રેન્સ (Press
Conference) કરીને
વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ કેટલીક મહત્ત્વની જાહેરાત કરી. RBI ના ગર્વનર શક્તિકાંત
દાસે જણાવ્યું છેકે,
કોરોનાની
બીજી લહેર ભારતના અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ રહી છે. દેશના ઘણાં બધા રાજ્યોમાં
હાલ લોકડાઉન કે પછી લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે RBI ગર્વનર દાસે કોવિડ સાથે
જોડાયેલાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50 હજાર કરોડની સસ્તી લોન આપવાની
જાહેરાત કરી છે.
RBI
ના
ગર્વનર દાસે કહ્યુંકે,
હાલની
સ્થિતિને જોતા વેક્સિન ઉત્પાદકો, હોસ્પિટલ, લોજિસ્ટિકને પ્રાયોરિટી સેક્ટરમાં સમાવાશે કોરોના
સંલગ્ન તમામ સેક્ટરને બેંક સરળતાથી લોન આપી શકશે. લિક્વિડિટી સુધારવા માટે 50,000 કરોડના લોનની વિન્ડો ઓપન
કરી આ સિવાય બેંકો પોતાની સરપ્લસ લિક્વિડિટીમાંથી પણ લોન આપી શકશે. આ સુવિધા 3 વર્ષ સુધી લાગુ રહેશે.
આગામી માર્ચ,
2022 સુધી
આ સ્કીમ હેઠળ લોન લઈ શકાશે. ઈમરજન્સી હેલ્થ સેક્ટરને આ લોન આપશે.
વધુમાં
કોરોનાની બીજી લહેર ઘાતક છે પ્રથમ લહેર બાદ ઈકોનોમીમાં શાનદાર રિકવરી જોવા
મળી રહી છે તમામ આર્થિક આંકડા અર્થતંત્રમાં મજબૂતી સૂચવી રહ્યાં છે GST, PMI, ટોલ કલેક્શન સહિતના
આંકડા સકારાત્મક છે જોકે દેશમાં મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય મોંઘવારી દર ઉંચો છે
RBI નજર તમામ આંકડા પર છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે તેથી મોંઘવારી કાબૂમાં જ છે