• Home
  • News
  • Amitabh સાથે Rekha એ છુપાઈને કરી લીધાં હતાં લગ્ન? જાણો રેખાની માંગમાં સિંદૂર જોઈને કેમ રડી પડી જયા
post

Rekha And Her Sindoor Mystery: દર્દથી ભરેલી આખો, લાલ બિંદી અને માગમાં સિંદૂરને પોતાની ઓળખાણ બનાવી ચૂકેલી અભિનેત્રી રેખા માટે એક એવો સમય આવ્યો હતો, જ્યારે તેમને જોઈને ખુદ જયા બચ્ચન પણ રોવા લાગી હતી. શું રેખાએ અમિતાભ સાથે છુપાઈને કરી લીધાં હતા લગ્ન?

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-12 11:01:05

અમદાવાદ: દર્દથી ભરેલી આખો, લાલ બિંદી અને માગમાં સિંદૂરને પોતાની ઓળખાણ બનાવી ચૂકેલી અભિનેત્રી રેખા માટે એક એવો સમય આવ્યો હતો, જ્યારે તેમને જોઈને ખુદ જયા બચ્ચન પણ રોવા લાગી હતી. લોકો શું કહેશે... આ વાતનો અહેસાસ પ્રેમમાં પડેલા છોકરા-છોકરીઓને લગભગ થતો નથી. જ્યારે પ્રેમનો રંગ લાગે ત્યારે દુનિયા શું કહેશે તેની ચિંતા હોતી નથી. ત્યારે બોલીવુડ એક્ટ્રેસ રેખા પણ તેમાની એક દિવાની છે. તેમના પર અમિતાભ બચ્ચનને મેળવવાનું સપનું એટલું હાવી થઈ ગયું હતું કે, એક્ટ્રેસે તે વાતની જરાય ચિંતા ન કરી કે, પતિ, પત્ની ઓર વોનો સબંધ હંમેશા દુઃખ આપે છે. 

જ્યારે સિંદૂર લગાવીને પહોંચી રેખા:
અમિતાભ બચ્ચન સાથે રેખાના અફેયરના કિસ્સા સામાન્ય વાત છે. પરંતુ એક એવી ઘટના પણ બની હતી જેમાં જયા બચ્ચન ચિંતાયુક્ત થઈ ગઈ હતી. રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરીના લેખક યાસિર ઉસ્માને પોતાની બુકમાં એ વાતને ખુલાસો કર્યો છે કે, વર્ષ 1980માં ઋષિ કપૂર અને નીતૂ કપૂરસિંહના લગ્નમાં રેખા સિંદૂર લગાવીને પહોંચી હતી. ત્યારે સૌની નજર રેખા પર જ અટકેલી હતી અને ખુદ જયા બચ્ચને પણ ખુદને માંડ માંડ સંભાળ્યા હતા. પણ છતાં જયા બચ્ચન ખુદને ન રોકી શક્યા અને બધાની વચ્ચે રડવા લાગ્યા. જોકે, તે સમયે રેખાને સવાલ આ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું કે, હું લગ્નના શૂટિંગમાંથી સીધી અહીં આવી છું એટલા માટે હું લોકોના રિએક્શનની બિલકુલ ચિંતા નથી કરતી. રેખાના સિંદૂર લગાવવાનું કારણ કંઈ પણ હોય છતાં જયા બચ્ચન માટે ઘટના ખૂબ જ દુખદાયક રહી હતી. 

કરે કોઈ ભરે કોઈ:
પતિ-પત્ની વચ્ચે નાની નાની વાતે ઝગડા થાય તે સામાન્ય વાત છે. પરંતુ જ્યારે ઝઘડા કોઈ ત્રીજ વ્યક્તિના કારણે થાય ત્યારે કોઈપણનું ઘર બર્બાદ થઈ જાય છે. તેવી જ રીતે લગ્નમાં રેખાની એન્ટ્રીથી જયા બચ્ચનને લાગ્યું હતું કે, તેમને અમિતાભ સાથે છુપાઈને લગ્ન કરી લીધા છે અને આ વિચાર કરીને જયા બચ્ચન બધાની વચ્ચે રડી પડ્યા હતા. જો કે, રેખાએ ક્યારેય પણ અમિતાભના ઘર-સંસારને તોડવાનું કામ નથી કર્યું. પણ એક ભૂલની સજા આજ સુધી બંને એક્ટ્રેસ ભોગવે છે.

આનામાં જ કમી હશે:
આપણા સમાજ એવી માનસિકતા છે કે પતિ કોઈ ભૂલ કરે તો તેની સાથે પત્નીની ભૂલને પણ જોડીને જ જોવામાં આવે છે. જ્યાં પતિ કોઈ બીજી મહિલાના પ્રેમમાં પડી જાય તો પણ એવું કહેવામાં આવે કે, પત્નીમાં જ કંઈક કમી હશે કે પતિને આવું કરવાની જરૂર પડી. પણ આવા લોકોએ ભૂલી જાય છે કે, સબંધ બચાવવો એકલા પત્નીના હાથમાં નથી હોતું. પત્નીની જેટલી જવાબદારી હોય છે એટલી જ પતિની પણ હોય છે. જો કે, આ ઘટના બાદજયા બચ્ચને રેખાને ડિનર માટે ઈનવાઈટ કરી અને કહ્યું કે, ગમે તે થઈ જાય હું અમિતને નહીં છોડું. ત્યારે અમિતાભને એ વાતનો ખ્યાલ આવી ગયો કે, તેમનાથી જે ભૂલો થઈ છે તે તમામ વિશે પત્ની જાણે છે. આ પછી અમિતાભે રેખા સાથે સંપૂર્ણપણે દૂરી બનાવી અને પોતાના પરિવારમાં એકદમ ભળી ગયા. આપ ને મુંહ ફેર લિયા, અમિતાભની દિવાની રેખાઓ ખુલ્લેઆમ આ વાત કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post