• Home
  • News
  • 'હું જંગ જીતીને પાછો આવી ગયો છું': બાળકોના 10મા જન્મદિવસ પર પોતે માંદગીથી મુક્ત થયાની જાહેરાત કરીને સંજય દત્તે ઉમેર્યું, 'મારા દીકરાઓને આથી બેસ્ટ ગિફ્ટ બીજી શું હોય?'
post

સંજય દત્તના PET ટેસ્ટમાં કેન્સર ફ્રી હોવાની વાત સામે આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 16:50:40

19 ઓક્ટોબરના રોજ  કહ્યું હતું કે સંજય દત્ત બે મહિના બાદ કેન્સરમુક્ત થઈ ગયો છે. હવે સંજય દત્તે પોતાના ટ્વિન્સ ઈકરા તથા શાહરાનના 10મા જન્મદિવસે આ અંગેની જાહેરાત કરી હતી. સંજય દત્તે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેણે બીમારી સામેનો જંગ જીતી લીધો છે. જોકે, સંજય દત્તે પોતાની આ પોસ્ટમાં ક્યાંય કેન્સરનો ઉલ્લેખ કર્યો નહોતો.

સંજય દત્તે પોસ્ટમાં કહ્યું હતું, 'છેલ્લાં કેટલાંક દિવસો મારા તથા મારા પરિવાર માટે ઘણાં જ મુશ્કેલભર્યા રહ્યા હતા. જોકે, કહેવાય છે ને કે ભગવાન પોતાના મજબૂત યોદ્ધાને જ મુશ્કેલ સમય આપે છે. આજે મારા સંતાનોના જન્મદિવસ પર હું આ યુદ્ધમાં જીતી ગયો હોવાની વાત કરું છું. હું તેમને સૌથી સારી ગિફ્ટ મારું સારું સ્વાસ્થ્ય આપું છું.

આ બધું તમારા સપોર્ટ તથા વિશ્વાસ વગર શક્ય નહોતું. હું મારા પરિવાર, ફ્રેન્ડ્સ તથા આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનાર ચાહકોનો દિલથી આભાર માનું છું. તમારા પ્રેમ, દયા તથા આશીર્વાદ માટે હું તમારો આભારી છું.

હું ખાસ કરીને કોકિલાબેન હોસ્પિટલના ડૉ. સેવંતી તથા તેમની ટીમ, ડૉક્ટર્સ, નર્સ તથા મેડિકલ સ્ટાફનો ખાસ આભાર માનું છું. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી તેમણે મારી ઘણી જ સારી રીતે દેખરેખ રાખી હતી.'

સંજય દત્તના PET ટેસ્ટમાં કેન્સર ફ્રી હોવાની વાત સામે આવી હતી
સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર ફ્રી થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET (પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી) ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ઑથેન્ટિક તપાસ માનવામાં આવે છે. નિકટના મિત્ર તથા ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે સંજય દત્ત કેન્સર ફ્રી થયો હોવાની વાતની પુષ્ટિ કરી હતી. કોકિલાબેન હોસ્પિટલનાં સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું. 19 ઓક્ટોબરના રોજ સંજય દત્તનો PET રિપોર્ટ આવ્યો હતો અને એમાં તે કેન્સર ફ્રી હોવાની જાણ થઈ હતી.

હોસ્પિટલનાં સૂત્રોએ કહ્યું હતું, 'ખરી રીતે કેન્સર કોષમાં બિન-કેન્સર કોષની તુલનામાં મેટાબોલિક દર એટલે કે ચય-ઉપાચય દર વધુ હોય છે. રાસાયણિક ગતિવિધિના આ ઉચ્ચ સ્તરને કારણે કેન્સરના કોષો PET ટેસ્ટમાં એકદમ ચમકતા દેખાઈ આવે છે, આથી જ આ ટેસ્ટ કેન્સરનું નિદાન કરવામાં સૌથી વધુ ઉપયોગી છે. આ સાથે PET સ્કેનથી એ વાતની માહિતી પણ મળે છે કે કેન્સર શરીરમાં કેટલું ફેલાયું છે.'

હાલમાં જ સંજુબાબાએ કેન્સર અંગે વાત કરી હતી
હાલમાં સંજય દત્ત હેર સ્ટાઈલિસ્ટ અલીમ હાકીમના સલૂનમાં ગયો હતો અને અહીં તેણે પોતાની બીમારી અંગે વાત કરી હતી. સંજય દત્તે વિડિયોમાં કહ્યું હતું, 'હાઇ, હું સંજય દત્ત છું. સલૂનમાં પાછા આવવાનું ગમ્યું. નવો હેરકટ કરાવ્યો. તમે મારા જીવનનાં જખમ જોશો, પરંતુ હું એને હરાવીશ. હું કેન્સરમાંથી ટૂંક સમયમાં બહાર આવીશ. અલીમ અને હું લાંબા સમયથી સાથે છીએ. તેના પિતા મારા પિતાના વાળ કાપતા હતા. હાકીમસાબ 'રોકી'માં સ્ટાઈલિસ્ટ હતા અને પછી અલીમે મારા વાળ કાપવાની શરૂઆત કરી હતી. હું તેનો ગીની પિગ (પૈસાનો ગલ્લો) છું. અલીમ હંમેશાં મારા વાળ પર પ્રયોગો કરતો રહેતો હોય છે. 'KGF ચેપ્ટર 2'માં મારો લૂક દાઢીવાળો હશે. હું નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. હું સેટ પર પાછો ફરીને ખુશ છું. આવતીકાલે હું 'શમશેરા'નું ડબિંગ કરીશ.'

 

adv

Related News

post
post
post
post
post
post
post