સરબજીત સિંહના બહેન દલબીર કૌર ડિસેમ્બર 2016માં ભાજપમાં સામેલ થયા હતા
અમૃતસર: જાસૂસીના આરોપમાં
પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહના બહેન દલબીર કૌરનું શનિવારે મોડી
રાતના સમયે અવસાન થયું છે. 60 વર્ષીય દલબીર કૌર કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ
પામ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના રહેવાસી સરબજીત
સિંહને પાકિસ્તાનની જેલમાંથી છોડાવીને ભારત લાવવા માટે તેમના બહેન દલબીર કૌરે ઘણીં
લાંબી લડત આપી હતી.
ભારતીય નાગરિક સરબજીત
સિંહ 30 ઓગષ્ટ 1990ના રોજ ભૂલથી
પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા હતા. પાકિસ્તાનની કોર્ટે સરબજીતને આતંકવાદ તથા
જાસૂસીના આરોપમાં દોષી ઠેરવ્યા હતા અને 1991ના વર્ષમાં મૃત્યુની સજા
સંભળાવી હતી. સરબજીત પર લાહોર અને ફૈસલાબાદમાં બોમ્બ વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પણ
આરોપ લગાવાયો હતો પરંતુ ભારતે આ સમગ્ર કેસને ખોટી ઓળખનો કેસ ગણાવ્યો હતો. જોકે
બાદમાં 2008ના વર્ષમાં સરકારે
સરબજીતને ફાંસી આપવા પર અનિશ્ચિતકાળની રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ એપ્રિલ 2013માં લાહોરમાં કેદીઓ
દ્વારા કરવામાં આવેલા હુમલામાં સરબજીતનું મોત થયું હતું.
સરબજીતે
પાકિસ્તાનમાં એવો દાવો કર્યો હતો કે, તે એક ખેડૂત છે તથા તેનું ઘર સરહદ પાસેના વિસ્તારમાં
આવેલું છે. તે રસ્તો ભટકી જવાના કારણે પાકિસ્તાનની સરહદમાં આવી ગયો હતો અને તેની
ધરપકડ કરવામાં આવી. જોકે અનકે દલીલો છતાં પણ તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી
હતી.
2016માં ભાજપમાં સામેલ થયા
હતા દલબીર કૌર
સરબજીત સિંહના બહેન
દલબીર કૌર
ડિસેમ્બર
2016માં ભાજપમાં સામેલ થયા
હતા. તેઓ જ્યારે પોતાના ભાઈને જેલમાંથી છોડાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા તે સમયે
2005ના વર્ષમાં ભાજપના સંપર્કમાં
આવ્યા હતા.
સરબજીત સિંહ પર બની હતી ફિલ્મ
સરબજીત સિંહના જીવન પરથી
બોલિવુડમાં એક ફિલ્મ પણ બની હતી. તે ફિલ્મમાં સરબજીત સિંહનો રોલ અભિનેતા રણદીપ
હુડ્ડાએ ભજવ્યો હતો જ્યારે તેમની બહેન દલબીર કૌરનો રોલ અભિનેત્રી ઐશ્વર્યા રાયે
ભજવ્યો હતો.
દલબીર કૌર અંગે વિવાદ
જોકે એવા આરોપ પણ સામે
આવ્યા કે,
દલબીર
હકીકતમાં સરબજીતના સગા બહેન નથી. દલબીર કૌર પર જેલમાં બંધ તેમના પતિ બલદેવસિંહે પણ
એવો આરોપ લગાવ્યો હતો કે,
તે
જે દીકરીને સરબજીતની બતાવીને સરકારી ફાયદો ઉઠાવી રહી છે તે વાસ્તવમાં તેમની દીકરી
છે.