સેલેબ્સે દોઢ દિવસ માટે ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી.
બોલિવૂડ સેલેબ્સ પણ ગણેશોત્સવ ધામધૂમથી સેલિબ્રેટ કરતા હોય
છે. ઘણાં બોલિવૂડ સ્ટાર્સ દોઢ દિવસ માટે ગણપતિજીની સ્થાપના પોતાના ઘરે કરતાં હોય
છે. દોઢ દિવસ બાદ તેઓ બાપ્પાનું વિસર્જન કરે છે. શિલ્પા શેટ્ટી, સલમાન ખાનની બહેન
અર્પિતા ખાન, પદ્મિની કોલ્હાપુરે તથા અનન્યા પાંડેએ દોઢ દિવસ બાદ ગણેશજીનું વિસર્જન કર્યું
હતું.
શિલ્પાએ પતિ વગર
ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો
શિલ્પા શેટ્ટીએ 12 વર્ષ બાદ પહેલી જ વાર પતિ રાજ કુંદ્રા વગર ગણેશોત્સવ સેલિબ્રેટ કર્યો હતો.
ગણપતિ વિસર્જનમાં શિલ્પા શેટ્ટીના સાસુ-સસરા તથા તેની મમ્મી હાજર રહ્યાં હતાં.
શિલ્પા તથા તેના સંતાનોએ એક જ જેવા કપડાં પહેર્યાં હતાં.
બોલિવૂડ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક
શર્માએ પરિવાર સાથે ગણપતિ વિસર્જન કર્યું હતું. સલમાન ખાનની બહેન અર્પિતાએ આ વર્ષે
ભાઈ વગર જ ગણપતિજીની સ્થાપના તથા વિસર્જન કર્યું હતું.