સુભાષ ચંદ્રાએ ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝીસના બોર્ડના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-11-26 11:41:53
નવી દિલ્હી: સુભાષ ચંદ્રાએ ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝીસના બોર્ડના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું છે. જો કે તેઓ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ચાલુ રહેશે. તેમણે સેબીના નિયમ 17 (1બી) હેઠળ તેમના પદેથી રાજીનામું આપ્યું છે. આ નિયમ હેઠળ બોર્ડના ચેરમેન અને એમડી તથા સીઈઓ સંબંધી હોવા જોઈએ નહીં. જો કે હવે સુભાષ ચંદ્રા પાસે ઝીના માત્ર 5 ટકા શેર રહ્યાં છે.