મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટ વિપક્ષ (શિવસેના, કોંગ્રેસ-એનસીપી)ની અરજી પર મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટની બેન્ચે આદેશ વાંચવાની શરૂઆત કરી છે
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટ વિપક્ષ (શિવસેના, કોંગ્રેસ-એનસીપી)ની અરજી પર મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટની બેન્ચે આદેશ વાંચવાની શરૂઆત કરી છે.આજે સાંજ સુધીમાં ધારાસભ્યોની શપથ પૂરી કરી દેવી
કોર્ટે સોમવારે દોઢ કલાક દલીલ
સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. વિપક્ષે 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની
માંગણી કરી છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે, ફ્લોર ટેસ્ટ સારી વસ્તુ છે પરંતુ તે
જરૂરી નથી કે 24 કલાકમાં જ થાય.
આ વિશે એનસીપી કોંગ્રેસના વકીલે કહ્યું કે, જ્યારે બંને પક્ષ ફ્લોર ટેસ્ટ ઈચ્છે છે તો તેમાં વાર કેમ
કરવી જોઈએ?
કોર્ટના આદેશથી
વિપક્ષે 154
ધારાસભ્યોની
એફિડેવિટ પરત લેવી પડી હતી.
જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ
ખન્નાની બેન્ચ સામે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર તરફથી, કપિલ સિબ્બલે શિવસેના તરફથી, અભિષેક મનુ સિંઘવીએ એનસીપી-કોંગ્રેસ
તરફથી, મનિંદર સિંહે અજીત પવાર તરફથી અને
મુકુલ રોહતગીએ દેવેન્દ્ર ફડણવીસ તરફથી દલીલો રજૂ કરી હતી. કેન્દ્રએ સુપ્રીમ
કોર્ટથી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન હટાવવા અને શપથ ગ્રહણ
સમારોહ કરાવવાના નિર્ણયની ન્યાયિક સમીક્ષા નહીં કરાવવાની માંગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં નિર્ણય પથી
મહારાષ્ટ્રમાં વિપક્ષ આગળની રણનીતિ નક્કી કરશે. બીજી બાજુ ઉપમુખ્યમંત્રી અજીત પવાર
વિશે એનસીપી પ્રમુખ શરદ પવાર કોઈ નિર્ણય લઈ શકે છે. કારણકે સોમવારે એનસીપીના
સિનિયર નેતા છગન ભુજગળ અજીત પવારને મનાવવા ગયા હતા. બહાર નીકળીને ભુજગળે માત્ર
એટલું જ કહ્યું હતું કે, અજીતને ઉપમુખ્યમંત્રી પદમાંથી રાજીનામું આપીને પાર્ટીમાં
પરત ફરવાની અપીલ કરી છે.