• Home
  • News
  • Surekha Sikri Dies: બાલિકાવધુના 'દાદીસા' સુરેખા સિકરીએ દુનિયાને કરી અલવિદા
post

બોલીવુડથી લઈને ટીવી જગત સુધી પોતાનો સિક્કો જમાવનારા દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરી(Surekha Sikri) નું નિધન થયું છે. મળતી માહિતી મુજબ 75 વર્ષની વયે સુરેખા સિકરીએ કાર્ડિયાક અરેસ્ટના કારણે છેલ્લા શ્વાસ લીધા. આ ખબર બાદ ટીવી અને બોલીવુડ જગતમાં શોકની લહેર છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-16 12:00:40

નવી દિલ્હી: બોલીવુડથી લઈને ટીવી જગત સુધી પોતાનો સિક્કો જમાવનારા દિગ્ગજ અભિનેત્રી સુરેખા સિકરી(Surekha Sikri) નું નિધન થયું છે. મળતી માહિતી મુજબ 75 વર્ષની વયે સુરેખા સિકરીએ કાર્ડિયાક અરેસ્ટના કારણે છેલ્લા શ્વાસ લીધા. આ ખબર બાદ ટીવી અને બોલીવુડ જગતમાં શોકની લહેર છે. 

નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા
અત્રે જણાવવાનું કે અનેક વર્ષો સુધી બોલીવુડમાં કામ કર્યા બાદ સુરેખા સિકરીએ જ્યારે ટીવીમાં ઝંપ લાવ્યું તો તેમણે બધાને પાછળ છોડી દીધા. તેમણે લોકપ્રિય સિરીયલ બાલિકાવધુના દાદીસાની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો. આજે પણ તેઓ આ ભૂમિકાના કારણે લોકપ્રિય છે. તેમણે 3 વર્ષ પહેલા આયુષ્યમાન ખુરાનાની સુપરહિટ ફિલ્મ બધાઈ હોમાં દાદીની ભૂમિકા ભજવી હતી. તેમણે નેશનલ પુરસ્કાર પણ જીત્યો હતો. 

મેનેજરે કરી પુષ્ટિ
સુરેખા સિકરીના નિધનની જાણકારી તેમના મેનેજરે આપી છે. મેનેજરે મીડિયાને  જાણકારી આપી છે કે દુખનો વિષય છે કે સુરેખાજી આ દુનિયામાં નથી. 75 વર્ષની ઉંમરે આજે સવારે તેમનું દેહાંત થયું. બીજા બ્રેઈન સ્ટ્રોક બાદ તેઓ ખુબ પરેશાન હતા. 

adv

Related News

post
post
post
post
post
post
post