ફેન્સના સોશિયલ મીડિયા કેમ્પેનિંગથી હેરાન થઇને રૈનાએ CSKને અનફોલો કર્યું
ટીમ
ઇન્ડિયાનો પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના આ વખતે IPLમાં રમી રહ્યો નથી. પરંતુ તેમ
છતાં સતત સમાચારોમાં છે. ચેન્નાઈ સુપરકિંગ્સની હાર પછી રૈનાને ટીમમાં પરત લાવવાની
માંગ ટ્વિટર પર ટ્રેન્ટ કરવા લાગે છે. રૈનાએ શનિવારે ચેન્નાઈ સુપરકિંગ્સને ટ્વિટર
પર અનફોલો કરી દીધું. રૈનાએ આ વખતે IPL શરૂ થાય તે પહેલા વ્યક્તિગત
કારણોસર ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. CSKના મલિક એન. શ્રીનિવાસને
રૈનાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.
અનફોલો કેમ કર્યું?
શુક્રવારે
ચેન્નાઈની હાર પછી સોશિયલ મીડિયા પર રૈનાની વાપસીની માંગ ટ્રેન્ડ કરવા લાગી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,
આ
સોશિયલ મીડિયા કેમ્પેનિંગથી હેરાન થઈને રૈનાએ ચેન્નાઈ સુપરકિંગ્સને ટ્વિટર પર
અનફોલો કરી દીધું.
ટીમના કોચ સ્ટીફન
ફ્લેમિંગે પણ રવિવારે દિલ્હી કેપિટલ્સ સામેની હાર પછી કહ્યું હતું કે, રૈના અને રાયુડુની
ગેરહાજરીની અસર થઇ છે. રૈનાની વાપસી અંગે ટીમના CEO કાસી વિશ્વનાથને કહ્યું
કે- રૈનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. અમે આ સમયે રૈનાને પાછો બોલાવવા અંગે વિચાર
કરી શકતા નથી. તે પોતે જ ભારત પરત ફર્યો હતો. અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ.
ક્રિકેટમાં હાર અને જીત ચાલ્યા કરે છે. અમે લોકો જરૂર વાપસી કરીશું.