તમિલનાડુમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે
Written By newsonline | Ahmedabad | Published: 2019-12-02 10:43:42
કોયંબતુર: તમિલનાડુમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર
થઈ છે. અહીં કોયંબતુર જિલ્લામાં એક દિવાલ પડવાના કારણે 15 લોકોના મોત થયા હોવાની ઘટના પણ સામે
આવી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ એક ઘર પડવાના કારણે અન્ય 3 ઘર પણ ક્ષતિગ્રસ્ત થયા છે. ઘટના પછી
રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, તમિલનાડુ અને પોંડિચેરીના ઘણાં
જિલ્લામાં રવિવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાકમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા
છે. રાજ્યમાં ઘણી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.