મરનારમાં બે પોલીસ અધિકારી, બે ઈન્ટેલિજન્સ અધિકારી અને એક જાસૂસ સામેલ
Written By newsonline | Ahmedabad | Published: 2019-11-11 11:54:09
મુલ્તાનઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં
રવિવારે રાતે આતંકી ઠેકાણાઓ પર રેડ દરમિયાન અજ્ઞાત બંદૂકધારીઓએ જવાનો પર હુમલો
કર્યો. તેમાં 5 લોકોના મોત
થયા. મરનારમાં બે પોલીસ અધિકારી, બે ઈન્ટેલિજન્સ અધિકારી અને એક મુખબિર સામેલ છે.
પોલીસના પ્રવકતા કલિમ કુરૈશીએ
જણાવ્યું કે સુરક્ષાબળો પર રાજનપુર જિલ્લાના અરબી તબ્બા વિસ્તારમાં હુમલો થયો છે.
અત્યાર સુધીમાં કોઈ પણ સંગઠને તેની જવાબદારી લીધી નથી. જોકે આ ક્ષેત્રની સીમા
દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાંથી મળી છે. અહીં મોટાભાગે બલૂચ અલગાવવાદી સમૂહો
દ્વારા વિદ્રોહ કરવામાં આવી રહ્યો છે. આ ક્ષેત્રમાં આતંકીઓના અન્ય ગ્રુપ પણ સક્રિય
છે.