અમદાવાદ (Ahmedabad) માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક (jivraj park) ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવનાર છે. આજે 9 જુલાઈ રાતના 10 વાગ્યાથી લઈને 9 જુલાઈ રાત સુધી આ ફ્લાય ઓવર તમામ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
અમદાવાદ :અમદાવાદ (Ahmedabad)
માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો
જીવરાજ પાર્ક (jivraj park) ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે
બંધ કરવામાં આવનાર છે. આજે 9 જુલાઈ રાતના 10 વાગ્યાથી
લઈને 9 જુલાઈ રાત સુધી આ ફ્લાય ઓવર તમામ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.
મેટ્રો રેલ ( Metro rail)નું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી
પાંચ દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક (traffic) વિભાગ
દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 6 જુલાઈથી 9 જુલાઈ
દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ
છે.
આ કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. વેજલપુર રોડ - બલિયાદેવ મંદિર ત્રણ
રસ્તા - વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ - ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા -
ધરણીધર ચાર રસ્તા - સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી પહોંચાડશે.