• Home
  • News
  • સતત ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ ફ્લાયઓવર આજથી ચાર દિવસ બંધ રહેશે
post

અમદાવાદ (Ahmedabad) માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક (jivraj park) ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવનાર છે. આજે 9 જુલાઈ રાતના 10 વાગ્યાથી લઈને 9 જુલાઈ રાત સુધી આ ફ્લાય ઓવર તમામ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-06 10:57:36

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક (jivraj park) ફ્લાયઓવર આજ રાતથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવનાર છે. આજે 9 જુલાઈ રાતના 10 વાગ્યાથી લઈને 9 જુલાઈ રાત સુધી આ ફ્લાય ઓવર તમામ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

મેટ્રો રેલ ( Metro rail)નું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી પાંચ દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક (traffic) વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 6 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. 

આ કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. વેજલપુર રોડ - બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા - વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ - ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા - ધરણીધર ચાર રસ્તા - સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી પહોંચાડશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post