સ્કૂલ-ટ્યૂશન 7 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો
સ્કૂલો શરૂ થયાને માંડ પંદર દિવસ થયા છે ત્યાં જ
વિદ્યાર્થીઓને કોરોના થયાના કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં લિંબાયતની
સુમન સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીને, જ્યારે સિંગણપોરમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થિનીનો રિપોર્ટ
પોઝેટિવ આવ્યો હતો. બંન્ને સ્કૂલોને સાત દિવસ માટે બંધ કરાવી દેવામાં આવી
છે.સિંગણપોરની સ્કૂલમાં ભણતી બન્ને વિદ્યાર્થિની કતારગામમાં સાથે ટયૂશન કલાસીસમાં
જતી હતી. એકને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો અને અન્ય વિદ્યાર્થીનીને માથામાં
દુ:ખાવો હતો.
બન્નેના પરિવારમાં દરેક સભ્યોએ વેકિસનનો પહેલો ડોઝ લીધો
હોવાનું પાલિકાની તપાસમાં સ્પષ્ટ થયું છે. જે ટયૂશન કલાસમાં બન્ને વિદ્યાર્થિની
જતી હતી એને પણ સાત દિવસ માટે બંધ કરાવાયા છે. જ્યારે સ્કૂલમાં આ બન્ને
વિદ્યાર્થિનીની સાથે ભણતા અન્ય 42 વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
મંગળવારે લિંબાયતની સુમન સ્કૂલમાં જે વિદ્યાર્થીનો રિપોર્ટ
પોઝેટિવ આવ્યો હતો તેના પરિવારમાં પણ તમામ સભ્યોએ વેકિસનના બન્ને ડોઝ લીધા હોવાનું
જાણવા મળ્યું હતું. જો કે, આ પોઝેટિવ ત્રણેય વિદ્યાર્થીઓના પરિવારમાં કોઈને પણ કોરાના નથી ત્યારે તેમને
ચેપ કેવી રીતે લાગ્યો તે અંગે પાલિકાએ તપાસ હાથ ધરી છે.
સ્કૂલોમાં તપાસ માટે
ખાસ સમિતિ બનાવવા આદેશ
સ્કૂલોમાં ‘સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ’ બનાવવા પાલિકાએ આદેશ કર્યો છે. આચાર્યના અધ્યક્ષસ્થાને આ
સમિતિ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજિસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક
વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ એ
તમામ બાબતનું ધ્યાન રાખવું પડશે. જો કોઈ પણ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે
તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તો સ્કૂલે ન આવવા કહેવાયું છે.
15 દિવસમાં 18 હજાર વિદ્યાર્થીના
ટેસ્ટ
ઝોન |
સ્કૂલ/ કોલેજ/ |
કુલ |
પોઝિટિવ |
ક્લાસ |
ટેસ્ટ |
||
સેન્ટ્રલ |
14 |
394 |
0 |
વરાછા-એ |
24 |
851 |
0 |
વરાછા-બી |
25 |
1772 |
0 |
રાંદેર |
25 |
1467 |
0 |
કતારગામ |
30 |
1592 |
2 |
ઉધના |
44 |
3561 |
0 |
સચિન |
21 |
1831 |
0 |
અઠવા |
30 |
1212 |
0 |
લિંબાયત |
124 |
5941 |
1 |
કુલ |
337 |
18621 |
3 |